ટોન્સિલ-કાકડાનું સફળ ઔષધ (આયુર્વેદ)--- આયુર્વેદ : વૈદ્ય મનુભાઈ ગૌદાની
"મારા દીકરા સુનીલને છેલ્લાં ચાર વર્ષથી કાકડાની-ટોન્સિલની તકલીફ છે. દર ૧૫થી ૨૦ દિવસે તેના કાકડા પાકી જાય છે. જ્યારે કાકડા પાકે ત્યારે તાવ આવવો, ગળાની બંને બાજુ કાનની નીચે થોડો સોજો આવવો, કોઈ પણ ચીજ ખાવા-પીવાથી ગળામાં દુખાવો અને મોઢું લાલ રહે છે. અમારા ફેમિલી ડોક્ટર એકાદ અઠવાડિયું તેને એન્ટિબાયોટિક સહિતની દવાઓ આપે ત્યારે કાકડા શાંત થાય. ફેમિલી ડોક્ટરની સલાહ પ્રમાણે એક ઈએનટી સ્પેશ્યાલિસ્ટને બતાવ્યું અને તેમની તો સ્પષ્ટ સલાહ છે કે કાકડાનું ઓપરેશન કરાવી નાખો, પરંતુ એક મેગેઝિનમાં વાંચ્યું હતું કે બને ત્યાં સુધી કાકડા-ટોન્સિલ કપાવવા નહીં, કારણ કે તે બે અડીખમ ચોકીદાર છે.
મુખ માર્ગે શરીરની અંદર જતા ચેપી જંતુઓ સામે સૌ પ્રથમ આ બે ચોકીદાર-કાકડા સામનો કરે છે અને શરીરને અનેક રોગોથી બચાવે છે અને સાંભળ્યું તથા વાંચ્યું પણ છે કે, આયુર્વેદમાં કાકડાના સફળ ઉપચારો છે." એમ કહી અર્ચનાબહેને વાત પૂરી કરી.
જુઓ અર્ચનાબહેન, આયુર્વેદીય ઉપચારોથી કાકડા મટી જાય છે, પરંતુ એ ઉપચાર ચાલતો હોય ત્યારે કડક પરેજી પાળવી પડે છે.
જો આપ બેથી ત્રણ મહિના બાબાની પૂરતી કાળજી સાથે ઉપચાર કરાવશો તો સુનીલની કાકડાની તકલીફ સાવ મટી જશે. સુનીલના કાકડા મટી જાય એવો સાદો, સરળ અને સસ્તો ઉપચારક્રમ લખી આપું છું:
એક કપ જેટલા પાણીમાં અડધી ચમચી જેટલું હળદરનું ચૂર્ણ નાખી તેમાં એટલી જ સાકર નાખી, ખૂબ મિશ્ર કરી સવારે, બપોરે અને રાત્રે પીવડાવવું.
આ ઉપચારમાં મુખ્ય ઔષધ હળદર છે. આયુર્વેદમાં હળદરના ગુણકર્મો વિશે જણાવાયું છે કે, હળદર રસમાં કડવી, તીખી અને તૂરી છે. તે સ્વભાવે ઉષ્ણ, રૃક્ષ, દોષને ખોતરીને ફેંકનારી તથા કફના, ત્વચાના રોગો અને કોઢ, ખંજવાળ, ગૂમડાં વગેરે મટાડે છે તથા તે પ્રમેહ, પાંડુરોગ, અપચો, શરદી, સળેખમ, સૂકી ઉધરસ તથા સોજાનો નાશ કરે છે.
આધુનિક રીતે હળદરનું રાસાયણિક પૃથક્કરણ કર્યા પછી જાણી શકાયું છે કે, હળદરમાં એક પ્રકારનું ક્ષારીય દ્રવ્ય હોય છે અને તેમાં એન્ટિસેપ્ટિક ગુણ હોવાથી તે પરુ ઉત્પન્ન કરતા જંતુઓ સામે શરીરનું રક્ષણ કરે છે. તેમાં મિશ્ર થતું બીજું સહાયક ઔષધ સાકર પણ પૌષ્ટિક, શીતળ, ઉધરસનો નાશ કરે છે. તે થાક-શ્રમ હરનાર, સડાનો નાશ કરનાર, વ્રણ રૃઝવનાર અને ગળાના રોગોમાં હિતકારી છે.
આયુર્વેદમાં સોજાને 'શોથ' કહેવામાં આવે છે. હળદર શોથઘ્ન ગુણ ધરાવે છે. ટોન્સિલ-કાકડામાં ગળાની બંને બાજુ કાન નીચે થોડો સોજો આવે છે. હળદરના સેવન અને લેપથી તેના શોથઘ્ન ગુણ દ્વારા આ સોજો ઊતરી જાય છે.
કાકડા પાક્યા પછી ગળામાં થતો વ્રણ હળદરના એન્ટિસેપ્ટિક અને રોપણ ગુણથી રુઝાય છે. આમ, હળદર અને સાકરનું મિશ્રણ-કોમ્બિનેશન તેના વિભિન્ન ગુણધર્મો દ્વારા કાકડાના સોજાનો નાશ કરે છે.
અર્ચનાબહેન, આ ઉપચાર વખતે તમે સુનીલ પાસે આ પ્રમાણે ચરી પળાવજો. બાળક છે, એટલે કદાચ તમારે પરેજી માટે ખૂબ સાવચેતી રાખવી પડશે. દહીં, છાશ, શિખંડ, આઇસક્રીમ, ફ્રૂટસલાડ, ઠંડાં પીણાં, મેંદાની અને માવાની બનાવટો, ફ્રીઝનું પાણી, ચોકલેટ, બોર, જામફળ, તીખી ચીજો, અથાણાં, પાપડ વગેરે ચારથી છ મહિના બંધ કરવી. પાણી પણ ઉકાળેલું જ આપવું.
આ પ્રમાણે ત્રણ મહિનાના ઉપચારક્રમ દરમિયાન અર્ચનાબહેન સુનીલને કુલ છ વખત બતાવી ગયાં, પરંતુ તેને ફરીથી કાકડા પાક્યા નથી. આ ઉપચાર દરમિયાન તેનું ત્રણ કિલો વજન વધ્યું હતું.
"મારા દીકરા સુનીલને છેલ્લાં ચાર વર્ષથી કાકડાની-ટોન્સિલની તકલીફ છે. દર ૧૫થી ૨૦ દિવસે તેના કાકડા પાકી જાય છે. જ્યારે કાકડા પાકે ત્યારે તાવ આવવો, ગળાની બંને બાજુ કાનની નીચે થોડો સોજો આવવો, કોઈ પણ ચીજ ખાવા-પીવાથી ગળામાં દુખાવો અને મોઢું લાલ રહે છે. અમારા ફેમિલી ડોક્ટર એકાદ અઠવાડિયું તેને એન્ટિબાયોટિક સહિતની દવાઓ આપે ત્યારે કાકડા શાંત થાય. ફેમિલી ડોક્ટરની સલાહ પ્રમાણે એક ઈએનટી સ્પેશ્યાલિસ્ટને બતાવ્યું અને તેમની તો સ્પષ્ટ સલાહ છે કે કાકડાનું ઓપરેશન કરાવી નાખો, પરંતુ એક મેગેઝિનમાં વાંચ્યું હતું કે બને ત્યાં સુધી કાકડા-ટોન્સિલ કપાવવા નહીં, કારણ કે તે બે અડીખમ ચોકીદાર છે.
મુખ માર્ગે શરીરની અંદર જતા ચેપી જંતુઓ સામે સૌ પ્રથમ આ બે ચોકીદાર-કાકડા સામનો કરે છે અને શરીરને અનેક રોગોથી બચાવે છે અને સાંભળ્યું તથા વાંચ્યું પણ છે કે, આયુર્વેદમાં કાકડાના સફળ ઉપચારો છે." એમ કહી અર્ચનાબહેને વાત પૂરી કરી.
જુઓ અર્ચનાબહેન, આયુર્વેદીય ઉપચારોથી કાકડા મટી જાય છે, પરંતુ એ ઉપચાર ચાલતો હોય ત્યારે કડક પરેજી પાળવી પડે છે.
જો આપ બેથી ત્રણ મહિના બાબાની પૂરતી કાળજી સાથે ઉપચાર કરાવશો તો સુનીલની કાકડાની તકલીફ સાવ મટી જશે. સુનીલના કાકડા મટી જાય એવો સાદો, સરળ અને સસ્તો ઉપચારક્રમ લખી આપું છું:
એક કપ જેટલા પાણીમાં અડધી ચમચી જેટલું હળદરનું ચૂર્ણ નાખી તેમાં એટલી જ સાકર નાખી, ખૂબ મિશ્ર કરી સવારે, બપોરે અને રાત્રે પીવડાવવું.
આ ઉપચારમાં મુખ્ય ઔષધ હળદર છે. આયુર્વેદમાં હળદરના ગુણકર્મો વિશે જણાવાયું છે કે, હળદર રસમાં કડવી, તીખી અને તૂરી છે. તે સ્વભાવે ઉષ્ણ, રૃક્ષ, દોષને ખોતરીને ફેંકનારી તથા કફના, ત્વચાના રોગો અને કોઢ, ખંજવાળ, ગૂમડાં વગેરે મટાડે છે તથા તે પ્રમેહ, પાંડુરોગ, અપચો, શરદી, સળેખમ, સૂકી ઉધરસ તથા સોજાનો નાશ કરે છે.
આધુનિક રીતે હળદરનું રાસાયણિક પૃથક્કરણ કર્યા પછી જાણી શકાયું છે કે, હળદરમાં એક પ્રકારનું ક્ષારીય દ્રવ્ય હોય છે અને તેમાં એન્ટિસેપ્ટિક ગુણ હોવાથી તે પરુ ઉત્પન્ન કરતા જંતુઓ સામે શરીરનું રક્ષણ કરે છે. તેમાં મિશ્ર થતું બીજું સહાયક ઔષધ સાકર પણ પૌષ્ટિક, શીતળ, ઉધરસનો નાશ કરે છે. તે થાક-શ્રમ હરનાર, સડાનો નાશ કરનાર, વ્રણ રૃઝવનાર અને ગળાના રોગોમાં હિતકારી છે.
આયુર્વેદમાં સોજાને 'શોથ' કહેવામાં આવે છે. હળદર શોથઘ્ન ગુણ ધરાવે છે. ટોન્સિલ-કાકડામાં ગળાની બંને બાજુ કાન નીચે થોડો સોજો આવે છે. હળદરના સેવન અને લેપથી તેના શોથઘ્ન ગુણ દ્વારા આ સોજો ઊતરી જાય છે.
કાકડા પાક્યા પછી ગળામાં થતો વ્રણ હળદરના એન્ટિસેપ્ટિક અને રોપણ ગુણથી રુઝાય છે. આમ, હળદર અને સાકરનું મિશ્રણ-કોમ્બિનેશન તેના વિભિન્ન ગુણધર્મો દ્વારા કાકડાના સોજાનો નાશ કરે છે.
અર્ચનાબહેન, આ ઉપચાર વખતે તમે સુનીલ પાસે આ પ્રમાણે ચરી પળાવજો. બાળક છે, એટલે કદાચ તમારે પરેજી માટે ખૂબ સાવચેતી રાખવી પડશે. દહીં, છાશ, શિખંડ, આઇસક્રીમ, ફ્રૂટસલાડ, ઠંડાં પીણાં, મેંદાની અને માવાની બનાવટો, ફ્રીઝનું પાણી, ચોકલેટ, બોર, જામફળ, તીખી ચીજો, અથાણાં, પાપડ વગેરે ચારથી છ મહિના બંધ કરવી. પાણી પણ ઉકાળેલું જ આપવું.
આ પ્રમાણે ત્રણ મહિનાના ઉપચારક્રમ દરમિયાન અર્ચનાબહેન સુનીલને કુલ છ વખત બતાવી ગયાં, પરંતુ તેને ફરીથી કાકડા પાક્યા નથી. આ ઉપચાર દરમિયાન તેનું ત્રણ કિલો વજન વધ્યું હતું.

No comments:
Post a Comment