સંતોષનો છેદ ઉડાડે છે સરખામણી
પારકા ભાણામાં મોટો લાડુ' એ કહેવત જેણે રચી હશે એ મહાનુભાવનું મનુષ્ય સ્વભાવનું અવલોકન ઘણું ઊંડું અને વ્યાપક રહ્યું હશે. પોતાના ભાણામાં પીરસાયેલા લાડુ તરફ એક અછડતો દૃષ્ટિપાત કરી બાજુમાં બેઠેલાની થાળીમાંના લાડુ પર નજર નોંધવાની ટેવ માણસની પ્રકૃતિની એક અજબ ખાસિયત છે. કદાચ આવી તુલના કરવાની ટેવ માણસને એના માતા-પિતા પાસેથી જ મળતી હશે. દુનિયાના લગભગ તમામ મા-બાપને કોઇ વિરલ-અપવાદ બાદ કરતાં, પોતાના સંતાનની બીજાના દીકરા-દીકરી સાથે સરખામણી કરવાની ટેવ હોય છે. આવી ટેવ પાછળ પોતાના સંતાનોની નજર સમક્ષ વધુ ઊંચું રોલ મોડેલ રજૂ કરવાની માબાપોની શુભ દાનત ભલે હોય, પણ એના માઠાં પરિણામો તેમની નજર બહાર જ રહી જતાં હોય છે.
આવી સરખામણીથી પોતાના સંતાનના આત્મવિશ્વાસને ધક્કો પહોંચે છે. બીજાના છોકરાની જેટલી પ્રશંસા થાય એટલા પ્રમાણમાં પોતાના સંતાનના આત્મવિશ્વાસમાં કાપ મૂકાતો જાય છે. આના કરતાંય વધુ મોટું નુકસાન એ છે કે સાવ કાચી વયથી જ એ પોતાની પાસે હોય એની તુલના બીજાની ચીજો સાથે કરતું થઇ જાય છે. બાળપણમાં પડેલી આ ટેવ મોટપણે એને ઘણું મોટું નુકસાન કરે છે. પોતાને પ્રાપ્ત વસ્તુ પરિસ્થિતિ, વ્યક્તિ કે સ્થળ વિશેષથી થવો જોઇતો સંતોષ એને થતો નથી. આવા અસંતોષને સરખામણી કરવાની વારસામાં મળેલી આદત વધુ ઉગ્ર બનાવી મૂકે છે. જેમને આવી રીતે બીજા સાથે પોતાની સરખામણી કરવાની ટેવ પડી નથી તેઓ ખરેખર ભાગ્યશાળી છે પણ એવા ભાગ્યશાળીઓની સંખ્યા કોઇપણ સમાજમાં સામાન્ય રીતે ઘણી ઓછી હોય છે.
આવી સરખામણીથી પોતાના સંતાનના આત્મવિશ્વાસને ધક્કો પહોંચે છે. બીજાના છોકરાની જેટલી પ્રશંસા થાય એટલા પ્રમાણમાં પોતાના સંતાનના આત્મવિશ્વાસમાં કાપ મૂકાતો જાય છે. આના કરતાંય વધુ મોટું નુકસાન એ છે કે સાવ કાચી વયથી જ એ પોતાની પાસે હોય એની તુલના બીજાની ચીજો સાથે કરતું થઇ જાય છે. બાળપણમાં પડેલી આ ટેવ મોટપણે એને ઘણું મોટું નુકસાન કરે છે. પોતાને પ્રાપ્ત વસ્તુ પરિસ્થિતિ, વ્યક્તિ કે સ્થળ વિશેષથી થવો જોઇતો સંતોષ એને થતો નથી. આવા અસંતોષને સરખામણી કરવાની વારસામાં મળેલી આદત વધુ ઉગ્ર બનાવી મૂકે છે. જેમને આવી રીતે બીજા સાથે પોતાની સરખામણી કરવાની ટેવ પડી નથી તેઓ ખરેખર ભાગ્યશાળી છે પણ એવા ભાગ્યશાળીઓની સંખ્યા કોઇપણ સમાજમાં સામાન્ય રીતે ઘણી ઓછી હોય છે.
પ્રાપ્ત સ્થિતિમાં સંતોષનો અનુભવ કરવા વ્યક્તિને એની પ્રભુશ્રદ્ધા સૌથી વધુ સહાયક નીવડે છે. ઇશ્વરની શુભાશય પર આસ્થા પ્રવર્તતી હોય તો માણસનું મન બીજાની હવેલી જોઇ પોતાની ઝૂંપડી તોડી નાંખવા કંઇ પ્રેરાતું નથી. આવી શ્રદ્ધાની સાથોસાથ જે માણસમાં આપણા મહાન વારસા સમા કર્મસિદ્ધાંતની સમજ હોય તો તે તેની અસંતોષની ઉગ્રતા ઓછી કરે છે. ત્રીજી વાત વાસ્તવિકતાનું ભાન હોવું. પોતાની શક્તિની સાથોસાથ મર્યાદાઓનું પણ આકલન હોય તો એનું મન જે મળ્યું એમાં સંતોષ માની બીજાની સાથે સરખામણી કરવા તત્પર રહેતું નથી. છેલ્લે જે મળ્યું છે તે એક અકસ્માત છે તેથી એનો સહજતાથી, સ્વસ્થતાથી સ્વીકાર કરી લેવો એવી સાદી સમજ પણ સરખામણી કરવાની વૃત્તિ સામે રક્ષણ આપે છે.
સંતોષનો છેદ ઉડાડે છે સરખામણી અને આ સરખામણીમાં અક્કલ-હોંશિયારીનું ચલણ પણ ઓછું જોવા મળે છે. કોઇપણ બાબતની સરખામણી કરી અસંતોષ ઊભો કરનારાઓને ઊંચા પદે પહોંચેલા, ઊંચી સમજદારી દાખવનારા કે સમાજજીવનને માટે વધુ ત્યાગ-બલિદાન કરનારાઓ સાથે પોતાની જાતની, પોતાની હેસિયતની તુલના કરવાનું કદી સૂઝતું નથી. પોતાની દક્ષતા, સજ્જતા કે ક્ષમતા પરત્વે બીજાઓને જોઇને, અન્ય સાથે તુલના કરીને,જો અસંતોષ પ્રગટે તો તે અંતે વ્યક્તિને તે જ્યાં ઊભો હોય ત્યાંથી ઊંચે લઇ જનારો નીવડે છે. નિરર્થક બળાપા કરતાં આવો વિધાયક અસંતોષ લાખ દરજ્જે સારો એ વાત, વાતે વાતે સરખામણીઓ કર્યા કરતા માણસને કોણ સમજાવે?
No comments:
Post a Comment