શરીરની સાચવણી કર્યા કરવાની વાતો જરા વધુ પડતી હોય એવું નથી લાગતું?--- સન્ડે મોર્નિંગ - સૌરભ શાહ
આરોગ્ય, હેલ્થ અથવા ફિઝિકલ ફિટનેસ યાને કિ શારીરિક ચુસ્તી ઈન્ટરેસ્ટિંગ વિષયો છે એના કરતાં વધારે ઈન્ટરેસ્ટિંગ ધંધાઓ છે, મલાઈદાર બિઝનેસ છે. માર્કેટ શોધવા નથી જવું પડતું. ક્ધસેપ્ટ પહેલેથી જ વેચાઈ ચૂકી છે, પહેલું સુખ તે જાતે નર્યાવાળા સ્લોગન દ્વારા. શરીર સાચવજે હં, ભાઈ. માતા દીકરાની કાળજી કરતાં કહે છે. નખમાંય રોગ ન હોવો એનું ગૌરવ દિલ્હીના સમ્રાટની ગાદી પર બેસવા જેટલું ગણાયું. સાઠ, સિત્તેર કે એંશી વર્ષની ઉંમરે જોગિંગ કરવા જતાં કાકાઓને અને કાકીઓને લોકો આદરથી જુએ છે. નેવું વર્ષે પહોંચેલા ડોસાજી ડ્રાઈવિંગ કરતા હોય ત્યારે ક્ધયાઓ વિસ્ફારિત નયને એમને નિહાળતી રહે છે. રાતી રાયણ અને લાલ ટમાટર જેવી ઉપમાઓ વડે એમના શારીરિક સ્વાસ્થ્યને વખાણવામાં આવે છે. સારું છે.
પણ ક્યારેય વિચાર્યું ખરું કે એમનું માનસિક આરોગ્ય પણ સાથોસાથ જળવાયું છે ખરું. માનસિક આરોગ્ય મતલબ આપણે એમ નથી કહેતા કે તેઓ પાગલબાગલ થઈ ગયા છે કે નહીં એ તપાસ્યું કે નહીં? એમની સામાન્ય મનદુરસ્તી જળવાઈ ખરી? કે પછી આ ઉંમરેય એમણે લોકોની કૂથલી કરવાનું, પુત્રવધૂને સતત ધાકમાં રાખવાનું, નવા વિચારોને મગજમાં પ્રવેશતા રોકવાનું અને બાબા આદમના જમાનાના વિચારોમાં રાચ્યા કરવાનું છોડ્યું નથી? પહેલું સુખ તે જાતે નર્યા એવું શાણપણ સ્વીકાર્યું પણ જાતને નરવી રાખવી એટલે શું માત્ર શારીરિક રીતે જ નરવી રાખવી?
આરોગ્યની અર્થાત્ શારીરિક આરોગ્યની અગત્યતાને જરા વધુ પડતી ચગાવવામાં આવી છે, ઓવરરેટેડ છે એ. જુઓ, ઉંમર વધવાની સાથે શરીર અને કુદરત વચ્ચે જે કંઈ લિખાપટ્ટી થઈ ચૂકી છે તે મુજબ શરીર ડિજનરેટ થતું જવાનું જ, એને ઘસારો લાગતો જવાનો. તમે ઘણી વાર કહો છો એમ, ઉંમર ઉંમરનું કામ કરે.
આપણે બહુ બહુ તો એટલું કહીએ કે શરીરની શક્તિઓ કુદરતી રીતે ક્ષીણ થઈ રહી હોય ત્યારે એમાં કુદરતને સાથ ન આપીએ. ઉંમર વધવાની સાથે પાચનતંત્ર સ્વાભાવિક રીતે ઓછું ક્રિયાશીલ બનતું જવાનું. આવા સંજોગોમાં ઉજાગરા, તીખો તળેલો ખોરાક, મીઠાઈ ઈત્યાદિ પર થોડોક સંયમ રાખીએ. દરેક રીતે શરીરને સાચવ્યા પછી પણ ૮૬મા વર્ષે બાથરૂમમાં પડી જશો અને હાડકું ભાંગશે તો સીધું થતાં મહિનાઓ નીકળી જશે, કદાચ સરખું ના પણ થાય.
ઉંમર વધવાની સાથે હાડકાં બરડ થવાનાં જ. શરીરના દરેકે દરેક અંગ, કોષની શક્તિઓ ક્ષીણ, શિથિલ થતી જવાની. એમાં તમે બીજું કંઈ નથી કરી શકવાના.
આરોગ્ય પ્રત્યેની સભાનતા માત્ર શારીરિક સ્વાસ્થ્ય પૂરતી જ સીમિત થઈ ગઈ છે, એ કહેવું છે તમને. પંચોતેરમે વર્ષે દોડીને બસ પકડી લેતા ચુસ્તી-સ્ફૂર્તિવાળા કાકાને લપ બનીને કોઈના ગળે પડી જવાની ટેવ હોય કે કોઈ સાંભળવા ના માગતું હોય તોય પોતાની જુવાનીનાં પરાક્રમો દોહરાવ્યા કરવાની આદત હોય કે માણસ સેનાઈલ થઈ ગયો હોય તો એના શારીરિક સ્વાસ્થ્યનું શું મૂલ્ય? હું તો કહું છું કે બળ્યું એવું આરોગ્ય. આના કરતાં તો એંશીમા વર્ષે ભલે થોડો દમનો વ્યાધિ હોય, પગે વા પણ હોય, બ્લડપ્રેશરની ગોળીઓ રોજ ગળવી પડતી હોય, ડાયાબિટીસને કારણે રોડનો આઈસક્રીમ બંધ થઈ ગયો હોય ને આંખે-કાને જરા કાચું હોય છતાં જો તમારી બુદ્ધિ ટકોરાબંધ હોય, તમારી પ્રજ્ઞા સતેજ અને જિજ્ઞાસા અકબંધ હોય અને જીવવાની ઉત્સુકતા પચાસ વર્ષ પહેલાં હતી એટલી ઉત્કટ હોય તો તમે ખરેખર પહેલું સુખ તે જાતે નર્યાની કહેવતનું પાલન કર્યું કહેવાય.
ઉંમર વધવાની સાથે દૂધભાખરીનો સાદો ખોરાક અપનાવીને શારીરિક આરોગ્ય ટકાવી રાખવું અને આજુબાજુના જગતમાંથી સંપૂર્ણપણે અલિપ્ત થઈ જઈ ભગવાનનું નામ લેવામાં જ સમય વિતાવવો એવું કોણે કહ્યું? સામાજિક વહેવારો ઓછા કરી નાખો, એ ઉંમરે, તો એ સારું જ છે. એવું તો ઘણાં વર્ષો પહેલાં જ કરી દેવાનું હતું. ફાલતુ વાતોને ચૂંથ્યા કરવાની ટેવ પાછલી ઉંમરે છોડી દો તે સારું જ છે, આગલી ઉંમરે જ છોડી દેવાની હતી. પણ જીવવામાંથી રસ શું કામ ઓછો થવો જોઈએ? બુદ્ધિની ધાર શા માટે બુઠ્ઠી થઈ જવી જોઈએ એ ઉંમરે?
ના. ઉંમર વધવાની સાથે મગજની તેજસ્વિતા ઝાંખી પડે જ એવું જરૂરી નથી. ચાળીસ વર્ષના લેખકો કરતાં ચાર ચાસણી ચડે એવું ખુશવંત સિંહ એંશીમા વર્ષે લખતા. મોરારજી દેસાઈ સાથે એમના નેવુંમા વર્ષેય વાતો કરવાની મઝા આવતી હતી એવું કહેનારા કેટલાય લોકો બતાવું તમને. નિરદ ચૌધરી અંગ્રેજીમાં લખતા ઉત્તમ ભારતીય લેખક છે. ગુજરી ગયા. ઈંન્ગલેન્ડ રહેતા, વર્ષોથી. એ ૯૯ વર્ષના હતા ત્યારે
એમનો એક ઈન્ટરવ્યુ વાંચેલો. સાહેબ, તમને નવાઈ લાગે, ઈર્ષ્યા આવે, એટલા બધા તાજા, ક્ધટેમ્પરરી અને અદ્ભુત વિચારો એમના. શરીરથી જુઓ તો સાવ પાતળું, નાનકડું કદ. મુઠ્ઠીમાં સમાઈ જાય જાણે. પણ એમની બુદ્ધિને તમે બાથ ન ભરી શકો. કે. કા. શાસ્ત્રી પણ સેન્ચ્યુરી વટાવી ગયા પછીય એવા જ હતા.
ઉંમર વધતાં શરીરને સાચવ સાચવ કરવામાં ક્યાંક મનને પણ સાચવવું જોઈએ એ વાત જ ભુલાઈ ગઈ. શારીરિક સ્વાસ્થ્ય ઓવરરેટેડ થયું એમાં માનસિક આરોગ્યની મહત્તા ગૌણ બની ગઈ.
પાછલી ઉંમરે દાંતનાં ચોકઠાં અને ચૂરણની ફાકીઓ દ્વારા માત્ર શરીર સચવાશે કદાચ, મન નહીં. અને છેક એ ઉંમરે મનની દરકાર રાખવાની સભાનતા આવશે તો ઘણું મોડું કહેવાશે. શરૂઆત અત્યારથી થઈ જવી જોઈએ. દિમાગની બારીઓ ખુલ્લી રાખીને નવા વિચારોને, નવી ઘટનાઓને, નવા પ્રવાહોને ને નવી દુનિયાઓને સમજવાની, સ્વીકારવાની શરૂઆત અત્યારથી જ કરવી પડે. કૂવામાંથી બહાર નીકળ્યા વિના વિશ્ર્વ તરફ જોયા કરવાની ટેવ પાછલી ઉંમરે તમને હાર્ટ ઍટેક કે સ્ટ્રોક કરતાંય વધુ તકલીફ આપવાની એટલું લખી રાખજો તમે. લાગણીની સ્થિતિસ્થાપકતા, ફ્લેક્સિબિલિટી, અત્યારે સિદ્ધ નહીં કરી શકીએ તો તે વખતે સર્જાનારા જક્કી સ્વભાવને કારણે તમામ સંબંધો બરડ બનવાના અને પાછલી ઉંમર વિતાવવી કષ્ટદાયક બની જવાની. બીજાને ખલેલ પહોંચાડ્યા વિના પોતાના સ્વભાવનું આનંદીપણું, મોજીલાપણું સાચવવું વધારે અગત્યનું છે, એ ઉંમરે. રોજ પેટ સાફ આવે એની જેટલી ચિંતા હોય એના કરતાં વધારે કાળજી દિમાગમાં દસ્ત ભરાઈ ન રહે એની રાખવી સારી, એ વખતે. શારીરિક કબજિયાતો તો દવાઓથી, આહાર નિયમનથી કે કુદરતી ઉપચારોથી દૂર કરી શકશે તમારા દાક્તરો. મનનું શું? નહીં તમે સાઈકીએટ્રિસ્ટ પાસે જઈ શકો કારણ કે તકલીફ એ હદ સુધીની નહીં હોય, છતાં તમારા સ્વભાવ, તમારા વિચારો, તમારા વર્તનને કારણે તમારી આસપાસનાઓ અને તમે પોતે પણ અસુખ અનુભવ્યા કરો એવી જિંદગી શું કામની? પછી ભલે ને એ ઉંમરે તમે રોજનાં પચાસ દોરડાં કૂદી શકતા હો. માનસિક આરોગ્ય વિનાના શારીરિક સ્વાસ્થ્યનો કોઈ અર્થ નથી. શહેરમાં હેલ્થ ક્લબોની જેટલી જરૂર છે આજે એથી વધુ જરૂર છે મેન્ટલ હેલ્થ ક્લબોની.
------------
કાગળ પરના દીવા;-- એ નહીં તો એની આહટ આવશે, જળને બદલે જળની વાંછટ આવશે. - ભગવતીકુમાર શર્મા
------------- સન્ડે હ્યુમર
બે બચ્ચાની મા ત્રીજી વાર શાદી કરી રહી હતી. ફેરા ફરતી વખતે એક બચ્ચું રડવા લાગ્યું.
માનો જવાબ સાંભળીને દુલ્હો બેહોશ થઈ ગયો. મા બોલી હતી:- ‘પાપુ, ચૂપ થઈ જા, નહીં તો નેક્સ્ટ ટાઈમ તને નહીં લાવું!’ .
આરોગ્ય, હેલ્થ અથવા ફિઝિકલ ફિટનેસ યાને કિ શારીરિક ચુસ્તી ઈન્ટરેસ્ટિંગ વિષયો છે એના કરતાં વધારે ઈન્ટરેસ્ટિંગ ધંધાઓ છે, મલાઈદાર બિઝનેસ છે. માર્કેટ શોધવા નથી જવું પડતું. ક્ધસેપ્ટ પહેલેથી જ વેચાઈ ચૂકી છે, પહેલું સુખ તે જાતે નર્યાવાળા સ્લોગન દ્વારા. શરીર સાચવજે હં, ભાઈ. માતા દીકરાની કાળજી કરતાં કહે છે. નખમાંય રોગ ન હોવો એનું ગૌરવ દિલ્હીના સમ્રાટની ગાદી પર બેસવા જેટલું ગણાયું. સાઠ, સિત્તેર કે એંશી વર્ષની ઉંમરે જોગિંગ કરવા જતાં કાકાઓને અને કાકીઓને લોકો આદરથી જુએ છે. નેવું વર્ષે પહોંચેલા ડોસાજી ડ્રાઈવિંગ કરતા હોય ત્યારે ક્ધયાઓ વિસ્ફારિત નયને એમને નિહાળતી રહે છે. રાતી રાયણ અને લાલ ટમાટર જેવી ઉપમાઓ વડે એમના શારીરિક સ્વાસ્થ્યને વખાણવામાં આવે છે. સારું છે.
પણ ક્યારેય વિચાર્યું ખરું કે એમનું માનસિક આરોગ્ય પણ સાથોસાથ જળવાયું છે ખરું. માનસિક આરોગ્ય મતલબ આપણે એમ નથી કહેતા કે તેઓ પાગલબાગલ થઈ ગયા છે કે નહીં એ તપાસ્યું કે નહીં? એમની સામાન્ય મનદુરસ્તી જળવાઈ ખરી? કે પછી આ ઉંમરેય એમણે લોકોની કૂથલી કરવાનું, પુત્રવધૂને સતત ધાકમાં રાખવાનું, નવા વિચારોને મગજમાં પ્રવેશતા રોકવાનું અને બાબા આદમના જમાનાના વિચારોમાં રાચ્યા કરવાનું છોડ્યું નથી? પહેલું સુખ તે જાતે નર્યા એવું શાણપણ સ્વીકાર્યું પણ જાતને નરવી રાખવી એટલે શું માત્ર શારીરિક રીતે જ નરવી રાખવી?
આરોગ્યની અર્થાત્ શારીરિક આરોગ્યની અગત્યતાને જરા વધુ પડતી ચગાવવામાં આવી છે, ઓવરરેટેડ છે એ. જુઓ, ઉંમર વધવાની સાથે શરીર અને કુદરત વચ્ચે જે કંઈ લિખાપટ્ટી થઈ ચૂકી છે તે મુજબ શરીર ડિજનરેટ થતું જવાનું જ, એને ઘસારો લાગતો જવાનો. તમે ઘણી વાર કહો છો એમ, ઉંમર ઉંમરનું કામ કરે.
આપણે બહુ બહુ તો એટલું કહીએ કે શરીરની શક્તિઓ કુદરતી રીતે ક્ષીણ થઈ રહી હોય ત્યારે એમાં કુદરતને સાથ ન આપીએ. ઉંમર વધવાની સાથે પાચનતંત્ર સ્વાભાવિક રીતે ઓછું ક્રિયાશીલ બનતું જવાનું. આવા સંજોગોમાં ઉજાગરા, તીખો તળેલો ખોરાક, મીઠાઈ ઈત્યાદિ પર થોડોક સંયમ રાખીએ. દરેક રીતે શરીરને સાચવ્યા પછી પણ ૮૬મા વર્ષે બાથરૂમમાં પડી જશો અને હાડકું ભાંગશે તો સીધું થતાં મહિનાઓ નીકળી જશે, કદાચ સરખું ના પણ થાય.
ઉંમર વધવાની સાથે હાડકાં બરડ થવાનાં જ. શરીરના દરેકે દરેક અંગ, કોષની શક્તિઓ ક્ષીણ, શિથિલ થતી જવાની. એમાં તમે બીજું કંઈ નથી કરી શકવાના.
આરોગ્ય પ્રત્યેની સભાનતા માત્ર શારીરિક સ્વાસ્થ્ય પૂરતી જ સીમિત થઈ ગઈ છે, એ કહેવું છે તમને. પંચોતેરમે વર્ષે દોડીને બસ પકડી લેતા ચુસ્તી-સ્ફૂર્તિવાળા કાકાને લપ બનીને કોઈના ગળે પડી જવાની ટેવ હોય કે કોઈ સાંભળવા ના માગતું હોય તોય પોતાની જુવાનીનાં પરાક્રમો દોહરાવ્યા કરવાની આદત હોય કે માણસ સેનાઈલ થઈ ગયો હોય તો એના શારીરિક સ્વાસ્થ્યનું શું મૂલ્ય? હું તો કહું છું કે બળ્યું એવું આરોગ્ય. આના કરતાં તો એંશીમા વર્ષે ભલે થોડો દમનો વ્યાધિ હોય, પગે વા પણ હોય, બ્લડપ્રેશરની ગોળીઓ રોજ ગળવી પડતી હોય, ડાયાબિટીસને કારણે રોડનો આઈસક્રીમ બંધ થઈ ગયો હોય ને આંખે-કાને જરા કાચું હોય છતાં જો તમારી બુદ્ધિ ટકોરાબંધ હોય, તમારી પ્રજ્ઞા સતેજ અને જિજ્ઞાસા અકબંધ હોય અને જીવવાની ઉત્સુકતા પચાસ વર્ષ પહેલાં હતી એટલી ઉત્કટ હોય તો તમે ખરેખર પહેલું સુખ તે જાતે નર્યાની કહેવતનું પાલન કર્યું કહેવાય.
ઉંમર વધવાની સાથે દૂધભાખરીનો સાદો ખોરાક અપનાવીને શારીરિક આરોગ્ય ટકાવી રાખવું અને આજુબાજુના જગતમાંથી સંપૂર્ણપણે અલિપ્ત થઈ જઈ ભગવાનનું નામ લેવામાં જ સમય વિતાવવો એવું કોણે કહ્યું? સામાજિક વહેવારો ઓછા કરી નાખો, એ ઉંમરે, તો એ સારું જ છે. એવું તો ઘણાં વર્ષો પહેલાં જ કરી દેવાનું હતું. ફાલતુ વાતોને ચૂંથ્યા કરવાની ટેવ પાછલી ઉંમરે છોડી દો તે સારું જ છે, આગલી ઉંમરે જ છોડી દેવાની હતી. પણ જીવવામાંથી રસ શું કામ ઓછો થવો જોઈએ? બુદ્ધિની ધાર શા માટે બુઠ્ઠી થઈ જવી જોઈએ એ ઉંમરે?
ના. ઉંમર વધવાની સાથે મગજની તેજસ્વિતા ઝાંખી પડે જ એવું જરૂરી નથી. ચાળીસ વર્ષના લેખકો કરતાં ચાર ચાસણી ચડે એવું ખુશવંત સિંહ એંશીમા વર્ષે લખતા. મોરારજી દેસાઈ સાથે એમના નેવુંમા વર્ષેય વાતો કરવાની મઝા આવતી હતી એવું કહેનારા કેટલાય લોકો બતાવું તમને. નિરદ ચૌધરી અંગ્રેજીમાં લખતા ઉત્તમ ભારતીય લેખક છે. ગુજરી ગયા. ઈંન્ગલેન્ડ રહેતા, વર્ષોથી. એ ૯૯ વર્ષના હતા ત્યારે
એમનો એક ઈન્ટરવ્યુ વાંચેલો. સાહેબ, તમને નવાઈ લાગે, ઈર્ષ્યા આવે, એટલા બધા તાજા, ક્ધટેમ્પરરી અને અદ્ભુત વિચારો એમના. શરીરથી જુઓ તો સાવ પાતળું, નાનકડું કદ. મુઠ્ઠીમાં સમાઈ જાય જાણે. પણ એમની બુદ્ધિને તમે બાથ ન ભરી શકો. કે. કા. શાસ્ત્રી પણ સેન્ચ્યુરી વટાવી ગયા પછીય એવા જ હતા.
ઉંમર વધતાં શરીરને સાચવ સાચવ કરવામાં ક્યાંક મનને પણ સાચવવું જોઈએ એ વાત જ ભુલાઈ ગઈ. શારીરિક સ્વાસ્થ્ય ઓવરરેટેડ થયું એમાં માનસિક આરોગ્યની મહત્તા ગૌણ બની ગઈ.
પાછલી ઉંમરે દાંતનાં ચોકઠાં અને ચૂરણની ફાકીઓ દ્વારા માત્ર શરીર સચવાશે કદાચ, મન નહીં. અને છેક એ ઉંમરે મનની દરકાર રાખવાની સભાનતા આવશે તો ઘણું મોડું કહેવાશે. શરૂઆત અત્યારથી થઈ જવી જોઈએ. દિમાગની બારીઓ ખુલ્લી રાખીને નવા વિચારોને, નવી ઘટનાઓને, નવા પ્રવાહોને ને નવી દુનિયાઓને સમજવાની, સ્વીકારવાની શરૂઆત અત્યારથી જ કરવી પડે. કૂવામાંથી બહાર નીકળ્યા વિના વિશ્ર્વ તરફ જોયા કરવાની ટેવ પાછલી ઉંમરે તમને હાર્ટ ઍટેક કે સ્ટ્રોક કરતાંય વધુ તકલીફ આપવાની એટલું લખી રાખજો તમે. લાગણીની સ્થિતિસ્થાપકતા, ફ્લેક્સિબિલિટી, અત્યારે સિદ્ધ નહીં કરી શકીએ તો તે વખતે સર્જાનારા જક્કી સ્વભાવને કારણે તમામ સંબંધો બરડ બનવાના અને પાછલી ઉંમર વિતાવવી કષ્ટદાયક બની જવાની. બીજાને ખલેલ પહોંચાડ્યા વિના પોતાના સ્વભાવનું આનંદીપણું, મોજીલાપણું સાચવવું વધારે અગત્યનું છે, એ ઉંમરે. રોજ પેટ સાફ આવે એની જેટલી ચિંતા હોય એના કરતાં વધારે કાળજી દિમાગમાં દસ્ત ભરાઈ ન રહે એની રાખવી સારી, એ વખતે. શારીરિક કબજિયાતો તો દવાઓથી, આહાર નિયમનથી કે કુદરતી ઉપચારોથી દૂર કરી શકશે તમારા દાક્તરો. મનનું શું? નહીં તમે સાઈકીએટ્રિસ્ટ પાસે જઈ શકો કારણ કે તકલીફ એ હદ સુધીની નહીં હોય, છતાં તમારા સ્વભાવ, તમારા વિચારો, તમારા વર્તનને કારણે તમારી આસપાસનાઓ અને તમે પોતે પણ અસુખ અનુભવ્યા કરો એવી જિંદગી શું કામની? પછી ભલે ને એ ઉંમરે તમે રોજનાં પચાસ દોરડાં કૂદી શકતા હો. માનસિક આરોગ્ય વિનાના શારીરિક સ્વાસ્થ્યનો કોઈ અર્થ નથી. શહેરમાં હેલ્થ ક્લબોની જેટલી જરૂર છે આજે એથી વધુ જરૂર છે મેન્ટલ હેલ્થ ક્લબોની.
------------
કાગળ પરના દીવા;-- એ નહીં તો એની આહટ આવશે, જળને બદલે જળની વાંછટ આવશે. - ભગવતીકુમાર શર્મા
------------- સન્ડે હ્યુમર
બે બચ્ચાની મા ત્રીજી વાર શાદી કરી રહી હતી. ફેરા ફરતી વખતે એક બચ્ચું રડવા લાગ્યું.
માનો જવાબ સાંભળીને દુલ્હો બેહોશ થઈ ગયો. મા બોલી હતી:- ‘પાપુ, ચૂપ થઈ જા, નહીં તો નેક્સ્ટ ટાઈમ તને નહીં લાવું!’ .
No comments:
Post a Comment