Friday, 22 August 2014

પરંપરાગત નુસખાથી ખીલશે ત્વચા એવી, બધાની નજરો થંભી જશે!

 આજકાલ મોટાભાગના લોકો પોતાને સુંદર બનાવવા માટે અઢળક કોસ્મેટિક પ્રોડક્ટ યુઝ કરે છે અને ઘણીવાર તેને આ પ્રોડક્ટના રિએક્શનને પણ સહન કરવા પડે છે. આ સમસ્યાથી બચવા માટે આપણે હવે પોતાના મૂળિયા સુધી જવું પડશે, અર્થાત્ સદીઓથી ચાલી આવી રહેલી પરંપરાગત હર્બલ જ્ઞાન અપનાવવું પડશે. આજે અમે કેટલાક ખાસ હર્બલ નુસખાને બતાવી રહ્યા છીએ, જેનો ઉપયોગ કરીને મહિલાઓ પોતાનું સૌંદર્ય નિખારી શકે છે.
 
- કાકડી એક એવું ગુણકારી ફળ છે, જેનું સેવન સપ્તાહમાં એકવાર જરૂર કરવું જોઈએ. સાથે જ ખીરા-કાકડી સ્કિન માટે ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. તેને ખાવાથી શરીરની ગરમી દૂર થઈ જાય છે. સ્કિનને ગ્લોઈંગ બનાવવા માટે ચહેરા ઉપર ખીરાનો જ્યૂસ બનાવીને કે ખીરાનું પેસ્ટ બનાવીને લગાવો.
 
-જો તમારા ચહેરા ઉપર કાળા ધબ્બા હોય તો બટાકાની સ્લાઈડ્સને લઈને હળવા હાથે મસાજ કરો. બટાકાનો જ્યૂસ ચહેરા ઉપર લગાવો. રોજ તેને ચહેરા ઉપર લગાવવાથી ચહેરો નિખરી જાય છે.
 
-નારિયળ પાણી ખૂબ જ ગુણકારી હોય છે. એટલા માટે રોજ નારિયળ પાણી પીવાથી પણ ચહેરો ચમકવા લાગે છે. નારિયળ પાણીથી ચહેરો ધોવાથી પણ દાગ-ધબ્બા દૂર થાય છે. નારિયળનું પેસ્ટ બનાવીને ચહેરા પણ લગાવવાથી રંગ નિખરી જાય છે.
 
-કેળા ત્વચા માટે ખૂબ જ સારા હોય છે. પાકેલા કેળાને સારી રીતે મેશ કરી લો. તેને ચહેરા ઉપર ફેસ પેકની જેમ લગાવો. 15 મિનિટ પછી ધોઈ લો. ચહેરા ધોયા પછી લાલ ચંદનથી લેપ કરો. એવું માનવામાં આવે છે કે એમ કરવાથી ચહેરાની ત્વચામાં જબરદસ્ત નિખાર આવે છે.
 
-સ્ટ્રોબેરીને પાકેલા ફળોને મેશ કરીને ચહેરા ઉપર લગાવો અને 15 મિનિટ પછી તેને ધોઈ લો તો તે ચહેરા માટે ટોનિકની જેમ કામ કરે છે.
 
-બે ચમચી ટામેટાનો રસ અને અડધી ચમચી મધ મેળવો. આ મિશ્રણને ચહેરા ઉપર લગાવો અને 20 મિનિટ પછી ધી લો. ચહેરે કાંતિવાન બની જશે.

-ટામેલા એન્ટીઓક્સીડેન્ટ અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. એટલા માટે તે સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તમે શ્યામ રંગથી પરેશાન હો તો ટામેટાને પીસીને તેનું પેસ્ટ ચહેરા ઉપર લગાવી દો. ચહેરાના દાગ-ધબ્બા દૂર થઈ જશે અને રંગ નિખરી જશે.
 
-ઈંડાનો પીળો ભોગ અર્થાત્ જર્દીને ચહેરા ઉપર લગાવવાથી રંગ ગોરો થઈ જાય છે અન ઈંડીમાં મધ અને લીંબુ મેળવીને લગાવો. જ્યારે પેક સૂકાઈ જાય તો ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. સ્કિન ગ્લો કરવા લાગશે.

-આમ તો પપૈયાની તાસીરને ગરમ માનવામાં આવે છે, પંરતુ સ્કિન માટે તે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ અને વિટામીન-એ રહેવું હોય છે. એટલા માટે પપૈયુ ખાવાની સાથે જ તેને લગાવવાના પણ અનેક ફાયદા થાય છે.
 
-સ્કિનને ગોરી બનાવવા માટે એક પપૈયાનો ટુકડો પીસી લો. એક ગાઢુ પેસ્ટ બનાવીને તમારા ચહેરા ઉપર લગાવો. એક કલાકપછી આ પેસ્ટને ચહેરા ઉપર લગાવીને રહેવા દો. પછી ચહેરો ધોઈ લો. આ નુસખો નિયમિત રીતે કરવાથી ચહેરાનો રંગ ગોરો થવા લાગે છે.
 
-તુલસીને ભગવાનનો ઉપહાર માનવામાં આવે છે. તે બીમારીઓ તો દૂર કરે જ છે સાથે સ્કીન માટે પણ ટોનિકનું કામ કરે છે. તુલસીના કેટલાક પાનને લઈને તેનોજ્યૂસ બનાવી લો.
 
આ જ્યૂસને હળવા હાથે ચહેરા ઉપર મસાજ કરો. થોડીવાર રહેવા દો અને પછી નવશેકા પાણીથી ધોઈ લો. એમ રોજ કરવાથી ધીરે-ધીરે રંગ ગોરો બની જાય છે.

-બે ચમચી ટામેટાનો રસ અને અડધી ચમચી મધ મેળવો. આ મિશ્રણને ચહેરા ઉપર લગાવો અને 20 મિનીટ પછી ધોઈ લો. ચહેરો એકદમ ખીલી ઊઠશે.
 
-ઘણા વિસ્તારોમાં પારંપરિક હર્બલ વૈદ્ય મધની સાથે જ ફેસ પેક તૈયાર કરે છે. આ જાણકારો અનુસાર બેસન, મધ, જૈતુન, દૂધ મલાઈને મેળવીને ચહેરા ઉપર લગાવો. આ મિશ્રણમાં 3 ચમચી બેસન, મધ, દૂધ મલાઈ અને જૈતનનું તેલ 1-1 ચમચી મેળવો. ચહેરા ઉપર લગાવો અને 20 મિનિટ પછી તેને સાફ પાણીથી ધોઈ લો.

-આયુર્વેદમાં હળદરને રંગત નિખારનારી સૌથી શ્રેષ્ઠ ઔષધી માનવામાં આવે છે. દૂધમાં એક ચમચી હળદર મેળવીને ચહેરા ઉપર લગાવવાથી પણ રંગ નિખરી જાય છે. બેસનનું ઉબટન અને હળદર લગાવવાથી પણ ચહેરો ગ્લો કરવા લાગે છે.
 
-દહીં અનેક પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોય છે. દહીં ખાવા અને લગાવવાથી અને બંનેનો ફાયદો ચહેરા ઉપર જોવા મળે છે. રોજ સવારે એક ચમચી દહીં લઈને ચહેરા ઉપર મસાજ કરો. સૂકાઈ ગયા પછી ચહેરો ધોઈ લો. નુસખાને નિયમિત રીતે લગાવવાથી રંગ ગોરો બને છે અને પિંપલ્સની સમસ્યા દૂર થાય છે

-લીંબુ સ્કિન માટે એક ચમત્કારી દવાની જેમ કામ કરે છે. રંગ નિખારવા માટે લીંબુનો રસ ચહેરા ઉપર લગાવો. થોડીવાર પછી ચહેરો ધોઈ લો. લીંબુના રસમાં ટામેટાનો રસ મેળવીને લગાવવાથી પણ ત્વચાની સફાઈ થઈ જાય છે અને રંગ ગોરો બની જાય છે.
 
-સંતરા વિટામીન સીથી ભરપૂર હોય છે. તેને સ્કિન માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. સંતરુ ખાવાથી અને લગાવવાથી પણ ત્વચા તંદુરસ્ત બની જાય છે. ત્વચાના રંગ નિખારવા માટે રોજ સંતરાનો જ્યૂસ બનાવીને ચહેરા ઉપર લગાવો. સૂકાઈ ગયા પછી તેને ધોઈ લો. જો ચહેરા ઉપર દાગ-ધબ્બા હોય તો સંતરાની છાલનો ઉપયોગ કરો. સંતરાની છાલને છાયડામાં સૂકવીને પાવડર બનાવી લો. તેને પાવડરની એક ચમચીની માત્રામાં કાચૂ દૂધ મેળવીને લગાવો. રંગ નિખરી જશે.

-તરબૂચનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. તેમાં પાણી અને પોષક તત્વોની માત્રા ખૂબ જ વધુ હોય છે. તેના નિયમિતસેવનથી શરીરમાં તાજગી અને ઠંડક બની રહે છે. તરબૂચનો નાનો ટુકડો લઈ ચહેરા ઉપર મસળો. એક કલાક સુધી લગાવીને રહેવા દો અને પછી ચહેરો ધો લો.
 
-જો તમારી સ્કીનની કેયર કરવા માટે એસ્ટ્રા ટાઈમ ન કાઢી શકતા હોય તો દૂધ અને કેસરનો ઉપયોગ કરો. થોડા દૂધમાં કેસરના પાનને પીસી લો. આ દૂધથી ચહેરાનો સમજા કરો. થોડીવાર રહેવા દો. પછી ચહેરો ધોઈ લો. રંગ નિખરી જાય છે અને ફેસ ગ્લો કરવા લાગે છે.

-દૂધ ત્વચા માટે ટોનરનું કામ કરે છે.કાચા દૂધથી ચહેરા ઉપર હળવા હાથે મસાજ કરો. ચહેરો સૂકાઈ ગયા પછી ધોઈ લો. રંગ ગોરો થઈ જશે.
 
-કાશ્મીરમાં મહિલાઓ સફરજનના રસનો ઉપયોગ પોતાના સૌંદર્યને નિખારવા માટે કરે છે. સફરજનને લઈને કચડીને રસ તૈયાર કરો. આ રસને ચહેરા ઉપર લગાવો. સૂકાઈ ગયા પછી ચહેરો ધોઈ લો. આ કામ નિયમિત રીતે કરવાથી પિંપલ્સ અને દાગ-ધબ્બા દૂર થઈ જાય છે અને ચહેરા ચમકવા લાગે છે.

No comments:

Post a Comment