Wednesday, 13 August 2014


 
 
- તબીબોને કહી દો કે માથું ન મારે દરદ સાથે સીધો પરિચય છે મારો, હકીકતમાં હું એવો રોગી છું, જેને બહુ સારી પેઠે દવા ઓળખે છે
- દવાઓ બંધ થયા પછી થોડાક દિવસો સુધી તો બધું સરસ રીતે ચાલ્યું, પછી અચાનક એમનું બ્લડપ્રેશર વધી ગયું. એમને ખબર પણ ન પડી. એમનું કામ કરતા હતા ત્યારે જેટ વિમાન 'ટેક ઓફફ' કરે એવી સ્પીડે એમને બી.પી. શૂટ અપ થયું.
 

સુરેન્દ્રનગરના લગભગ તમામ ડોક્ટરો એમને ઓળખતા હતા. એક ફિઝિશિયન મિત્રે એમને તપાસ્યા. જરૂરી ટેસ્ટ્સ કરાવ્યાં. પછી દવાઓ લખી આપી. મિત્ર હતા માટે એકવચનમાં કહ્યું : 'ત્રિવેદી, તું તો જાણે છે કે હાઈપરટેન્શન અને ડાયાબિટીસ આ બંને બીમારીઓ માણસની જિંદગીમાં સૌથી વફાદાર બીમારીઓ છે. માનવીના છેલ્લા શ્વાસ સુધી એ સાથ નિભાવે છે. માટે આ બે રોગોની સારવાર ક્યારેય બંધ કરવામાં નથી આવતી. તું પણ આ ટેબ્લેટ્સ લેવાનું ચાલુ રાખજે. તું ખુદ ડોક્ટર છે, એટલે તને મારે વધુ કંઈ કહેવાનું હોય નહીં.'

દવાઓ સતત લેવાની હતી. જીવનભર લેવાની હતી. ડો. ત્રિવેદી લેતા રહ્યા. પાંચ વર્ષ પસાર થઈ ગયાં. બધું બરાબર ચાલતું હતું, ત્યાં અચાનક ડો. ત્રિવેદીને શું સૂઝ્યું તે એમણે ટેબ્લેટ્સ લેવાનું બંધ કરી દીધું. કોઈ પણ ક્વોલિફાઇડ ડોક્ટર ક્યારેય આવી ભૂલ કરે જ નહીં, પણ ડો. ત્રિવેદી કરી બેઠા. એના મૂળમાં પેલો આનંદી સ્વભાવ. જિંદગીને હળવાશથી લેવાની આદત. એમણે કદાચ આવું વિચાર્યું હશે : 'પાંચ વર્ષથી મારું બ્લડપ્રેશર માપતો આવું છું ક્યારેય વધ્યું નથી. પરિસ્થિતિ સાવ જ કાબૂ હેઠળ છે. લાવ ને, દવાઓ બંધ કરી દઉં જોઉં તો ખરો કે શું થાય છે જો બી.પી. આટલું ને આટલું જ રહે તો દવાઓ લેવામાંથી છુટકારો પણ મળી જાય.'
દવાઓ બંધ થયા પછી થોડાક દિવસો સુધી તો બધું સરસ રીતે ચાલ્યું, પછી અચાનક એમનું બ્લડપ્રેશર વધી ગયું. એમને ખબર પણ ન પડી. એમનું કામ કરતા હતા ત્યારે જેટ વિમાન 'ટેક ઓફફ' કરે એવી સ્પીડે એમને બી.પી. શૂટ અપ થયું. મગજની રક્તવાહિ‌ની ફાડી નાખી. ડો. ત્રિવેદી બેભાન બનીને ઢળી પડયા. હાહાકાર મચી ગયો. એમનો પુત્ર માધવ ડોક્ટર બની ગયો હતો. તેને જાણ કરવામાં આવી. ડો. માધવે આવીને પિતાનું બી.પી. તપાસ્યું. બસો ચાલીસ બાય એકસો સિત્તેર મિ.મિ. જેટલું હતું. એ સમજી ગયો કે આનાથી વધુ ગંભીર સ્થિતિ બીજી કોઈ હોઈ ન શકે. કંઈક તાકીદની ઝડપે કરવું પડશે.

ફિઝિશિયને બનતી બધી જ સપોર્ટિ‌વ સારવાર શરૂ કરી દીધી. એ દરમિયાન ડો. માધવે એમ્બ્યુલન્સ બોલાવી લીધી. અમદાવાદની એક જાણીતી ર્કોપોરેટ હોસ્પિટલમાં ફોન કરી દીધો. સુરેન્દ્રનગરથી મૃતપ્રાય અવસ્થામાં ડો. ત્રિવેદીને લઈને સૌ અમદાવાદ પહોંચ્યા, ત્યારે ન્યૂરોસજ્ર્યન એમની ટીમ સાથે હાજર હતા. એમણે દરદી પર જરૂરી પરીક્ષણો પતાવ્યાં. એમ.આર.આઇ. કર્યું. નિદાન સાચું હતું. ડો. ત્રિવેદીના મગજની નસ ફાટી ગઈ હતી. લોહી જામીને ગઠ્ઠો થઈ ગયું હતું. એનું દબાણ મગજના કોષો ઉપર થઈ રહ્યું હતું.

ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. લગભગ લાશ જેવા બની ગયેલા દરદીને ઓપરેશન માટે એનેસ્થેટાઇઝ કરવામાં આવ્યા. એમની ખોપરીમાં 'ડ્રીલ' વડે કાણું પાડવામાં આવ્યું. પછી જે ભાગમાં લોહી બાઝી ગયું હતું ત્યાં પાંત્રીસ સો રૂપિયાનું મોંઘું ઇન્જેક્શન રેડીને બાઝેલા ગઠ્ઠાને પ્રવાહીમાં રૂપાંતરિત કરવામાં આવ્યું. પછી સક્શન મશીનની મદદથી એ લોહીને ખેંચી કાઢવામાં આવ્યું. બીજાં જરૂરી 'સ્ટેપ્સ' પછી ઓપરેશન પૂરું થઈ ગયું.
(ર્શીષક પંક્તિ: શૂન્ય પાલનપુરી)
drsharadthaker@yahoo.com

No comments:

Post a Comment