કર્મ હો કાળાં કબીરા! શું કરે માળા કબીરા!
-------------------------------------------------
એક સાથે કેટલાય રોગોનો સફાયો કરવા માટે બેસ્ટ છે તુલસી, જાણો તેના ફાયદા
અમદાવાદ, 7 સપ્ટેમ્બર
ભારતમાં આવેલી લિલિધ ઔષધીઓના ઘણાં ફાયદા હોય છે. થોડા દિવસ પહેલાં આપેણે ફુદીનાના વિવિધ ફાયદા જાણ્યા હતા. ફુદીનાની જેમ તુલસી પણ વિવિધ રોગોના ઉપાય માટે ખૂબ જરૂરી છે. તુલસી લોહીમાં ચરબીના પ્રમાણને નિયંત્રિત રાખવાની ક્ષમતા ધરાવે છે. તેમજ શરીરના વજનને નિયંત્રણ હેઠળ રાખવા માટે પણ તે અત્યંત લાભદાયક તેમજ ગુણકારી ઔષધ છે. તુલસીનું નિયમિત સેવન કરવાથી ખૂબ જ મેદસ્વી, વજન ધરાવનાર વ્યક્તિનું વજન ઘટી જાય છે તેમજ જો વ્યક્તિ પાતળી હોય તો તેનું વજન વધે છે. મતલબ કે તુલસી શરીરનું વજન આનુપાતિક રૂપથી નિયંત્રણ કરે છે.
તુલસીના વિવિધ ઉપાયો
ભારતમાં આવેલી લિલિધ ઔષધીઓના ઘણાં ફાયદા હોય છે. થોડા દિવસ પહેલાં આપેણે ફુદીનાના વિવિધ ફાયદા જાણ્યા હતા. ફુદીનાની જેમ તુલસી પણ વિવિધ રોગોના ઉપાય માટે ખૂબ જરૂરી છે. તુલસી લોહીમાં ચરબીના પ્રમાણને નિયંત્રિત રાખવાની ક્ષમતા ધરાવે છે. તેમજ શરીરના વજનને નિયંત્રણ હેઠળ રાખવા માટે પણ તે અત્યંત લાભદાયક તેમજ ગુણકારી ઔષધ છે. તુલસીનું નિયમિત સેવન કરવાથી ખૂબ જ મેદસ્વી, વજન ધરાવનાર વ્યક્તિનું વજન ઘટી જાય છે તેમજ જો વ્યક્તિ પાતળી હોય તો તેનું વજન વધે છે. મતલબ કે તુલસી શરીરનું વજન આનુપાતિક રૂપથી નિયંત્રણ કરે છે.
તુલસીના વિવિધ ઉપાયો
- તુલસીના રસમાં થોડા પ્રમાણમાં મીઠું ભેળવીને બેભાન વ્યક્તિના નાકમાં રેડવાથી તે તરત જ ભાનમાં આવી જાય છે.
- ચા બનાવતી વેળા, ચામાં તુલસીના થોડા પાન નાંખીને ઉકાળવામાં આવે તો તેનાથી શરદી, તાવ અને માંસપેશીઓનો દુઃખાવો દૂર થાય છે.
- ૧૦ ગ્રામ તુલસીના રસમાં મધ ભેળવીને તેનું સેવન કરવાથી હેડકી તથા અસ્થમાના રોગીને સાજો કરી શકાય છે.
- તુલસીના કવાથમાં થોડું સીંધવ મીઠું તથા પીસાયેલી સૂંઠને મેળવીને સેવન કરવાથી કબજિયાત દૂર થઈ જાય છે
- બપોરે ભોજન સાથે તુલસીના થોડા પાન ચાવવાથી પાચનશક્તિ સુધરે છે.
- ૧૦ ગ્રામ તુલસીના રસમાં પ ગ્રામ મધ તથા પ ગ્રામ પીસેલી કાળીમરીનું સેવન કરવાથી પાચનશક્તિની નબળાઈ દૂર થાય છે
- અશુદ્ધ કે દૂષિત પાણીમાં તુલસીના થોડાક પાન નાંખવાથી પાણીનું શુદ્ધિકરણ કરી શકાય છે.
- રોજ સવારે તુલસીના પાંચ પાન ચાવીને ખાવાથી બધા પ્રકારની ખાંસીથી આઝાદી મેળવી શકાય છે.
- તુલસીના રસમાં ખાંડેલી મોરસ મેળવીને પીવાથી છાતીના દુઃખાવામાં તેમજ ખાંસીથી આઝાદી મેળવી શકાય છે.
- તુલસીના રસને શરીરના ચામડીના રોગથી પ્રભાવિત થયેલ અંગો-ઉપાંગો ઉપર હળવા હાથે માલિશ કરવાથી દાગ, એકિજમા તથા અન્ય ચામડીના રોગોમાંથી આઝાદી મેળવી શકાય છે.
- તુલસીના પાનને લીંબુના રસની સાથે પીસીને પેસ્ટ (મલમ) બનાવીને લગાવવાથી એકિજમા તથા ધાધરના રોગોથી આઝાદી કે છૂટકારો મેળવી શકાય છે.
No comments:
Post a Comment