Tuesday, 9 September 2014
- www.youtube.com/watch?v=31MJEKRUNak Cached
Maa- The Mother Hindi Movie Plot Synopsis: A multi-millionaire, Ram Khanna, is advised by a fake astrologer that he will meet and marry a woman whose name ...
નજર એમને જોવા માગે તો આંખની શું ભૂલ!
દર વખત સુગંધ એમની આવે તો શ્વાસની શું ભૂલ!
સપના ક્યારેય પૂછીને નથી આવતા,
પણ સપના એમના આવે તો રાતની શું ભૂલ!…
દર વખત સુગંધ એમની આવે તો શ્વાસની શું ભૂલ!
સપના ક્યારેય પૂછીને નથી આવતા,
પણ સપના એમના આવે તો રાતની શું ભૂલ!…
* * *
પાસેપાસે તો યે કેટલાં જોજન દૂરનો આપણો વાસ;
જેમ કે ગગન સાવ અડોઅડ તો ય છેટાંનો ભાસ.
જેમ કે ગગન સાવ અડોઅડ તો ય છેટાંનો ભાસ.
રાત-દિ નો સથવાર ને સામે,
મળવાનું તો કોઈ દાડો સુખ મળતું નથી;
આવકારનું વન આડબીડ,
બારણું ખોલી ફળિયામાં સળવળતું નથી;
આંસુને દઈ દીધો છે ભવનો કારાવાસ.
મળવાનું તો કોઈ દાડો સુખ મળતું નથી;
આવકારનું વન આડબીડ,
બારણું ખોલી ફળિયામાં સળવળતું નથી;
આંસુને દઈ દીધો છે ભવનો કારાવાસ.
ઝાડથી ખરે પાંદડું,
એમાં કેટલાં કિરણ આથમ્યાનું સંભારણું હશે;
આપણી વચ્ચે આવજોની કોઈ ભીંત હશે,
કે યાદ જેવું કોઈ બારણું હશે;
પડખે સૂતાં હોય ને લાગે શમણાંનો સહવાસ….
એમાં કેટલાં કિરણ આથમ્યાનું સંભારણું હશે;
આપણી વચ્ચે આવજોની કોઈ ભીંત હશે,
કે યાદ જેવું કોઈ બારણું હશે;
પડખે સૂતાં હોય ને લાગે શમણાંનો સહવાસ….
– માધવ રામાનુજ
|
Make dining out safer
| ||
Simple things like the serving plates, water jug or bank notes may be the reason for that bout of food poisoning
| ||
Sometimes, you may end up with an upset stomach or food poisoning even after eating at a ‘pricey’ fine diner that appeared to maintain good hygiene standards. That’s because most times, it’s usually not the food but smaller things that carry the bug.
Serving plates
Diners these days want to stand out not only with their food, but also the presentation. A host of unconventional cutlery and plates make it to the table, one of them being wooden boards. While wood is naturally good at resisting germs, one needs to allow it to dry properly after washing it to stop bacteria from multiplying. In a busy restaurant, this may not happen. So, it’s safer to ask to be served on a plate instead.
The water jug
Water that’s served in jugs with ice, a slice of lemon and mint, also contains bacteria. A study in the UK showed at around 70 per cent of lemons in restaurant drinks show signs of microbe growth. The bugs include faecal bacteria and E.coli. The staff doesn’t generally wear gloves for most kitchen activities, including cutting lemons. And lemons aren’t peeled or cooked, which kills off many bugs. According to the same report, ice can be a hazard, too. Tests last year found that ice cubes from branches of McDonald’s, Burger King, KFC, Starbucks, Cafe Rouge and Nando’s all had more bacteria in them than samples of water taken from the lavatory bowls! “This may be because there are rotas for the regular cleaning of toilets, while ice machines can be left for ages in between cleans, as most people assume they are too cold for germs to survive. In fact, ice preserves most organisms — including E.coli,” said the study.
To be safe, make sure you ask for water without ice, lemon or mint.
Money changing hands
A study this year found there are more germs on coins than on toilet seats. Same for bank notes. They are kept in warm wallets and pockets — perfect germ incubators. Also money passes from one hand to another. Who knows along the way what hands it was in? So, make sure you wash your hands before you settle down to eat your meal for which you just paid.
|
Published Date: Sep 06, 2014
સમજ મેળવવાથી નથી મળી જતી. એ સહજ મળે છે, આપોઆપ મળે છે. લાખવાર માથું કૂટ્યા પછીય માણસ બોઘા જેવો રહેતો હોય છે. સમજણનો તસુભાર ઉમેરો એનામાં નથી થતો. ડહાપણનો ભંડાર ભર્યો હોય એવાં હજારો પુસ્તકોની લાખો નકલો બજારમાં વેચાય છે. આ પુસ્તકોના કરોડો વાચકોમાંથી કેટલા ડઝન સમજદાર બની ગયા હશે? અને આની સામે આવાં પુસ્તકો ન વાંચનારા કે કદીય કોઈ પ્રવચન કે વ્યાખ્યાન ન સાંભળનારા કરોડો સમજદાર લોકો તમારી આસપાસ પથરાયેલા છે. ક્યાંથી આવે છે એમનામાં એ સમજ.
કશુંક કરવાથી કે કશુંક ચૂકવવાથી સમજ મળી શકતી હોત તો દુનિયાના તમામ પૈસાદાર માણસોનો વર્ગ જગતનો સૌથી સમજુ સમાજ ગણાતો હોત. સૌંદર્ય, બુદ્ધિપ્રતિભા કે પ્રતિષ્ઠાને શ્રીમંતો ખરીદી શકે છે, ભાડે રાખી શકે છે, સમજને નહીં. સમજદાર માણસો પોતાના માટે કામ કરતા હોય એવો શ્રીમંત જો પોતે જ સમજદાર ન હોય તો પેલા માણસો શેઠ પર ચડી બેસે. કહેવાય છે કે અનુભવથી સમજ આવે, વર્ષો સુધી દુનિયાદારીને નજીકથી નિહાળ્યા પછી સમજ આવે. આવી શકે. પણ આવે જ એ જરૂરી નથી. ખૂબ અનુભવી માણસ તદ્દન નાસમજ હોઈ શકે. આની સામે હજુ વાસ્તવની દુનિયામાં પગલાં માંડી રહેલા ટીનએજરમાં પણ ભરપૂર સમજ હોઈ શકે. સમજનો સપ્લાય ક્યારે, ક્યાંથી, કેટલો આવશે એની કોઈને ખબર નથી હોતી. બસ, એટલું કહી શકાય કે સમજ સાહજિક રીતે આવે છે, એના માટે પ્રયત્નો ન કરવાના હોય, ઝઝૂમવાનું ન હોય, એના અભાવે જાતને કે બીજા કોઈને કોસવાની ચેષ્ટા પણ કરવાની ન હોય. સહજતાપૂર્વક આવી ગયેલી સમજદારી ઝાઝી ટકે છે. ડહાપણની ચાર વાતો ઉછીની લઈને ચપડચપડ બોલી નાખવાથી ટેમ્પરરી તમે ડહાપણના ભંડાર લાગી શકો, પણ એ બધું લાંબું ન ચાલે. વરખ કે વિનિયર વડે તમે મૂળ તત્ત્વની ગુણવત્તાને છુપાવી શકો પણ તે ક્યાં સુધી. સાહજિક રીતે કંઈ પણ મળી જાય તે કાયમી ટકે છે. ક્યારેક કાયમી નહીં તો લાંબું તો ટકે જ છે. સહજતાથી મળેલું ક્યારેય કામચલાઉ નથી હોતું. સહજતાથી મેળવવું એટલે નિર્વિરોધ મેળવવું. વિરોધનો અભાવ એટલે સંઘર્ષની ગેરહાજરી નહીં. બગાસું ખાતાં મોઢામાં પતાસું પડે એવું પણ નહીં. વિરોધ જાત સાથેનો ન જોઈએ. અંદર પડેલા અવરોધો દૂર થઈ ગયા પછી જ સહજનું સૌંદર્ય સમજી શકાય. જે બને છે તે સારા માટે જ બને છે એવી શ્રદ્ધાનું બીજું નામ આંતરિક અવરોધોનું ઓગળી જવું. જે બને છે તે જ શું કામ, જે બનવાનું છે તે પણ સારા માટે જ બનવાનું છે એવો ભરોસો પણ ખરો. અને જે બની ગયું છે તે પણ સારા માટે જ હતું એવો વિશ્ર્વાસ પણ ખરો. પરિસ્થિતિઓનો સાહજિક સ્વીકાર કરવાની કક્ષાએ પહોંચતાં પહેલાં આ ત્રણ પગથિયાં પાર કરવાં પડે. આસપાસ બનતી રહેતી ઘટનાઓનો સાહજિક સ્વીકાર કરતાં શીખી ગયા પછી સમજ આપમેળે પ્રગટે. પોતાને જેનો હક્ક લાગે છે તે ન મળે ત્યારે અથવા પોતાની પાત્રતા કરતાં ઘણું બધું મળી રહ્યું હોય ત્યારે પણ - સામસામા છેડાની આવી પરિસ્થિતિઓ સર્જાય ત્યારે બેઉ વખતે એનો સ્વીકાર થઈ જાય, કશાય કકળાટ વગર કે કોઈ પ્રકારની ઉચ્છૃંખલતા વિના, સમજદારી ત્યારે પ્રગટેલી કહેવાય. સમજદારી ક્યારે પ્રવેશવાની છે જીવનમાં, તેનું કોઈ નિશ્ર્ચિત મુહૂર્ત હોતું નથી. સારું કોઈ પણ કાર્ય કરવા માટે મુહૂર્ત જોવાની જરૂર નથી હોતી. મન થાય એટલે મુહૂર્ત સર્જાય. સમજ આવ્યા પછી જે વાત સમજવાની તે એ કે સમજશક્તિની પણ મર્યાદા હોવાની. મને બધું જ ખબર છે અને નથી ખબર તે બધું શીખી લેવાશે એવા વિશ્ર્વાસનો અતિરેક ઘાતક નીવડે. માણસનું મગજ ફૅક્ટરીમેઈડ નથી. દરેકના મગજની કૅપેસિટી કૉમ્પ્યુટરની કૅપેસિટીની જેમ એકસરખી નથી હોતી, કે નથી આવી કૅપેસિટીને જોઈતા પ્રમાણમાં અપગ્રેડ કરી શકાતી. તાલીમ, શિક્ષણ, અનુભવ અને જ્ઞાનના વ્યાપ પછી પણ દરેક વ્યક્તિ પોતાના કસ્ટમમેઈડ બ્લૉટિંગ પેપરમાં રહેલાં છિદ્રોની ક્ષમતા જેટલું જ ગ્રહણ કરે છે. માણસ પાસે અમર્યાદ શક્તિઓ છે, એ ધારે તે કરી શકે અને આ જ શ્ર્વાસમાં કહેવું જોઈએ કે માણસની શક્તિઓની ક્યારેક મર્યાદા આવી જાય છે. એ ધારે તો પણ ક્યારેક પોતાની મરજી મુજબ કહી શકતો નથી. માણસની ક્ષમતા વિશેનાં આ બે વિરોધાભાસી અંતિમો અને બેઉ સાચાં. પ્રથમ અંતિમ વિશે ખૂબ વિચારાયું-લખાયું કે માણસ ધારે તો હવામાં ઊડી શકે, ચાંદ પર પહોંચી શકે અને ધારે તો એક ધડાકે લાખો માણસોનો સંહાર પણ કરી શકે. પણ બીજી અંતિમવાળી વાત ગળે ઉતારવી સહેલી નથી. તમે ગમે એટલી ઈચ્છા રાખતા હો છતાં તમારી સમજશક્તિની ક્યાંક ને ક્યાંક હદ આવી જતી હોય છે. જીવનમાં પોતાનામાં રહેલા અસીમ પોટેન્શ્યલ માટે ગુરુર હોવું જોઈએ અને પોતાની સમજણની મર્યાદાને સ્વીકારી લેવાની નમ્રતા પણ હોવી જોઈએ. |
અતિસંવેદનશીલ ઉર્ફે 'સેન્ટી' લોકોની સાઇકોલોજી (મનોવૃત્તિ)
મનોવૃત્તિ : ડો. નમિતા ગાંજાવાલા
ટેલિવિઝન અત્યારે આપણાં સૌ કોઈના જીવનનું અગત્યનું અંગ બની ગયું છે. ચોવીસે કલાક ચાલુ જ હોય. જાતજાતની સિરિયલો, પ્રોગ્રામ્સ, સળંગ ચાલુ ને ચાલુ જ હોય. જ્યાં આખો દિવસ ટીવીની સામે બેસી રહેનારા લોકોની કમી નથી ત્યારે તેની મન ઉપર થતી અસરો વિશે વિચારતાં મારી જાતને હું રોકી શકતી નથી. તેવામાં જ મારી મુલાકાત પ્રતીક્ષા જોડે થઈ. આમ તો તે પણ ટીવીની દીવાની. તેના ઘરે ૨૪*૭ ટીવી ચાલુ જ હોય, પરંતુ હમણાં હમણાં તેણીએ ટીવી જોવાનું સદંતર બંધ કરી દીધું. ખાસ કરીને ક્રાઇમને લગતાં પ્રોગ્રામ્સ. તેણી ઘરમાં બીજા કોઈને પણ આ પ્રકારના પ્રોગ્રામ્સ જોવા ન દે. તેના પતિએ જણાવ્યું કે, એકાદ એવો એપિસોડ હતો કે જેમાં એક મા કોઈક કારણસર પોતાના દીકરાને કૂવામાં ધકેલી દે છે! જ્યારથી તેણીએ આ એપિસોડ જોયો છે તે ખૂબ ગભરાયેલી રહે છે. દીકરાથી પણ થોડી અતડી રહે છે. મને વારંવાર એક જ સવાલ પૂછે છે કે હું તો મારા દીકરાને કૂવામાં નહીં નાખી દઉંને? સતત એને આવો જ ભય લાગે છે. એને થોડી વાર સમજાવી કે ગાંડી, આ તો ટીવી છે. આનાથી ગભરાવું નહીં. થોડાં દિવસો બાદ ધીમે ધીમે તે સ્વસ્થ થઈ.
આજથી થોડાં વર્ષો પૂર્વે એક નાનો છોકરો કૂવામાં રમતાં રમતાં પડી ગયો, એના સમાચાર વાયુવેગે ફેલાયાઃ તે સમયે જ્યાં સુધી તે બાળક બહાર ન આવ્યું ત્યાં સુધી જ્યાં જુઓ ત્યાં એક જ ન્યૂઝ હોય. કેટલાય લોકોએ તેના માટે બાધાઓ રાખી, માનતાઓ માની. ખાવાનું મૂકી દીધું, આખી રાત તેઓ પણ જાગ્યા. છોકરું બહાર આવ્યું, ત્યારબાદ જ તેઓએ આરામનો શ્વાસ લીધો!
આવું જ કંઈક જ્યારે એકતા કપૂરની ટીવી ધારાવાહિક 'ક્યોં કી સાસ ભી કભી બહૂ થી'ના મુખ્ય પાત્ર મિહિરનું મૃત્યુ બતાડવામાં આવ્યું ત્યારે થયું હતું. કેટલાય લોકોએ એકતા કપૂરને ધમકીઓ આપી, તેને મનાવી અને ફરીથી તેના પાત્રને ધારાવાહિકમાં જીવંત બતાવ્યું. આવું તો અનેક ધારાવાહિકમાં બને છે. અમુક ખાસ પ્રકારનાં લોકો આવી દરેક ઘટનાથી ખૂબ પ્રભાવિત થઈ જાય છે. જેને આપણે ઘણી વાર 'સેન્ટી' છે એમ કહીને સંબોધીએ છીએ.
અહીં આપણે આવા સેન્ટી લોકોની જ વાત કરવાની છે. આ એવો વર્ગ છે જે ટીવી, ન્યૂઝ, મીડિયામાં આવતાં દૃશ્યો, જાહેરાતો, સિરિયલો, સમાચારોથી કંઈક નોર્મલ અથવા સામાન્ય કરતાં વધુ પ્રમાણમાં પ્રભાવિત થઈ જાય છે. તે ઘણી વાર એટલી હદ સુધી હોય છે કે તેઓ તેમના પ્રમાણે જ વિચારવા માંડે, વર્તવા માંડે. સિરિયલમાં એવું બતાવે કે પતિ મહાશય ઘરે રોજ મોડા આવે છે. તેનું કારણ તેના અનૈતિક સંબંધો હોય છે. તો આ પ્રકારની સેન્ટી કે ઇમોશનલ સ્ત્રી પણ એ પ્રકારે જ વિચારવા માંડે! વગર કારણે તે પોતે જ પોતાના ઘરમાં કંકાસ ઊભો કરે! ફિલ્મમાં કોઈ ઇમોશનલ સીન આવે, દીકરો મા-બાપને તરછોડે. કોઈનું મૃત્યુ થાય એવું દર્શાવે ત્યારે અસંખ્ય લોકોને રડતાં આપણે બધાંએ જોયા જ છે!
'બાગબાન' પિક્ચર વખતે થિયેટરમાં લગભગ બધાં જ મા-બાપ ઉપરાંત યુવાનોને પણ રડતાં જોયા હોવાના કિસ્સા છે. ફિલ્મો, ટીવી ધારાવાહિકો હવે માત્ર મનોરંજન પૂરતી નથી રહી. તેમાં લવ, રોમાન્સ, કૂરતા, હોરર જેવા પ્રકારનો પણ મોટાપાયે સમાવેશ થાય છે. હોરર ફિલ્મોનો વ્યાપ આપણે ત્યાં ઓછો નથી. હોરર મૂવિ જોતાં કેટલાયને હાર્ટએટેક આવી જાય એવુંય બને. થોડાં વર્ષો પહેલાં તો એક ડિરેક્ટરે પોતાની હોરર મૂવિ માટે એવી શરત પણ મૂકી હતી કે આ મૂવિ તમે થિયેટરમાં નાઇટ શોમાં એકલાં બેસીને જોઈ શકો તો તમને ગિફ્ટ આપીશું!
હોરર ફિલ્મો જોયા બાદ બાળકો જે પહેલેથી જ ગભરુ પ્રકારનાં હોય છે તેની મનોસ્થિતિ વધારે બગડે છે. માંડ માંડ બચ્ચું એકલું રૂમમાં જતું થાય, તેવામાં જો એકાદ પણ હોરર સીન જોઈ નાખે એટલે પૂરું! ફરીથી રૂમમાં એકલા જવાનું બંધ!
આ બધી વાતો કરવાનો મતલબ ખાસ કરીને એવા લોકો માટે છે કે જેઓ થોડાં ગભરુ છે, થોડો ચિંતાવાળો સ્વભાવ રાખે છે, જેને પહેલેથી જ થોડી થોડી એન્ગ્ઝાઇટી-ડિપ્રેશન છે જ! તે લોકોનાં મન ઉપર ઊંડી અસર પડે છે. ક્યાં તો તેઓ એમાં વધારે પ્રમાણમાં ઊંડા ઊતરી જાય, ક્યાં તો તે પ્રમાણેની જિંદગી જીવવા માંડે. અમુક લોકો તો આત્મહત્યા સુધી પહોંચી જાય! 'એક દૂજે કે લિએ' ફિલ્મ આવી હતી ત્યારે પણ સમાજમાં કેટલો હોબાળો થયો હતો. અમુક લોકોએ આત્મહત્યાના પ્રયાસો પણ કર્યા હતા!
આવા સેન્ટી લોકોનાં મન ઉપર માત્ર નેગેટિવ જ અસરો થાય છે એવું નથી! દુકાળ, પૂર, રેલ-કુદરતી આફતોના સમાચારો પણ આ પ્રકારના સેન્ટી લોકોને કંઈક વધારે જ અસર કરતાં હોય છે. જે લોકો આવા સમયે લાખો રૂપિયાની રાહત, દવાઓ, સામગ્રીઓ, મદદ પહોંચાડતા હોય તેઓ મોટાભાગે આ પ્રકારના 'સેન્ટી' 'ઇમોશનલ' લોકો જ હોય છે. સમાજમાં જ્યારે બળાત્કાર થાય ત્યારે પણ મોટાભાગે આ લોકો જ આગળ આવતાં હોય છે. આ પ્રકારની ઘટનાઓની જાણ થયા બાદ લોકો પોતાનું વધારે ધ્યાન રાખે, પોતાની સેફ્ટી કેવી રીતે રાખવી તે શીખે. બળાત્કારના વધતા જતાં કિસ્સાઓ બાદ તો સમાજમાં તે માટેની અવેરનેસ પણ વધી. લોકોએ એ માટેની વિવિધ એપ્સ પણ બનાવી!
સેન્ટી કે ઇમોશનલ હોવું કોઈ બીમારી નથી, પરંતુ ઘણી વાર તે છુપાયેલી માનસિક બીમારીનો ભાગ હોઈ શકે છે. તેવા કિસ્સામાં તે સારું થઈ શકે છે. આ માટે અલગ દવાઓ લેવાની જરૂર દરેક વખતે નથી હોતી! 'સેન્ટીમેન્ટાલિટી' એ એક વ્યક્તિત્વનું લક્ષણ છે. આ લોકો માત્ર ચેનલ, ફિલ્મ, મીડિયા પ્રત્યે જ નહીં, સંબંધોમાંય વધુ પડતા સેન્સીટિવ હોય એવું બની શકે છે!