SANKLAN

SANKLAN
SANKLAN

Saturday, 16 August 2014

'આઝાદી’ શબ્દ નથી,અનુભૂતિ છે...

Kajal Ozah Vaidh
'આઝાદી’ શબ્દ નથી,અનુભૂતિ છે...
'આઝાદી’ શબ્દ નથી,અનુભૂતિ છે...

આપણે જેને ચાહીએ તે માત્ર આપણા જ બની રહે એ જીદ એક પ્રકારની ઇમોશનલ ગુલામી અથવા અહંકાર જ ગણી શકાય.

જેટલો સમય આપણે વોટ્સએપ, એસએમએસ, ફેસબુકઅને સોશિયલ નેટવર્કમાં વિતાવીએ છીએ, તેનાથી અડધો સમય પણ પરિવાર સાથે વિતાવવાનો વિચાર સુદ્ધાં આપણને આવે છે ખરો? શું ખરેખર આપણે 'આઝાદ’ છીએ? વિચારવા જેવો છે આ મુદ્દો...


સાત વર્ષ પહેલાં સિનિયર સિટિઝન બની ગયેલી આપણી આઝાદી ફરી એક વાર ૧પમી ઓગસ્ટના દિવસે વડા પ્રધાનના હાથે તિરંગો ફરકાવવા લાલ કિલ્લાની દીવાલો પર ચડશે. ત્યાંથી આઝાદીનું ભાષણ અને આઝાદીનું માહાત્મ્ય ગાતા શબ્દો કહેવાશે... અબ કી બાર, નઇ સરકારની વાત થોડીક જૂની થઇ છે. લોકોએ પણ પોતે આપેલા મતને ચકાસી લીધો છે. ઘણાં સત્યો સમજાયાં છે, થોડાં સમજાવાનાં બાકી છે... ત્યારે આઝાદી શબ્દની સાથે જોડાયેલાં તમામ સંવેદનોને ઝકઝોરીને જગાડવાનો સમય થઇ ગયો છે. આજકાલ સ્ત્રીઓની આઝાદી વિશે ઘણી ચર્ચા થાય છે. મહિ‌લા મુખ્યમંત્રી સાથે ગુજરાતમાં હજી ગયા મહિ‌ને જ રજૂ થયેલું બજેટ 'જેન્ડર બેઇઝ્ડ’ બજેટ છે એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. મહિ‌લાઓને માટે પોલીસમાં ૩૩ ટકા અનામત ……… જેવા અનેક ફેરફારો આ રાજ્યમાં આવ્યા છે ત્યારે એક સવાલ ફેણ ઊંચકીને ઊભો છે, શું ખરેખર આપણે સૌ સ્વતંત્ર છીએ? સ્વતંત્ર ભારતના નાગરિક તરીકે જ્યારે આપણે આપણી ઓળખ આપીએ છીએ અને પાસપોર્ટ પર લખાયેલો શબ્દ 'રિપબ્લિક ઓફ ઇન્ડિયા’ વાંચીને આપણે ગમે એટલું ગૌરવ અનુભવીએ, પરંતુ શું ખરેખર આપણે મુક્ત - સ્વતંત્ર છીએ ખરા?

અંગ્રેજોના શાસનમાંથી આ દેશને મહાત્મા ગાંધીએ છોડાવ્યો - આઝાદી અપાવી. સરદાર વલ્લભભાઇ પટેલે દેશને અખંડ ભારત પ્રસ્થાપિત કર્યો, પરંતુ આપણે અખંડ ભારતના આઝાદ નાગરિક છીએ એવું સોગંદપૂર્વક કહી શકીએ ખરા? આપણે આપણા પગમાં કદાચ બેડીઓ જોઇ નથી શકતા - જ્યાં ફાવે ત્યાં જઇ શકીએ છીએ, જેમ ફાવે તેમ પૈસા ખર્ચી‍ શકીએ છીએ અને ફાવે તેવો વાણીવિલાસ કરીને અભિપ્રાયથી શરૂ કરીને અનુમાનો સુધીનું કંઇ પણ બકી શકીએ છીએ. એનો અર્થ એવો તો નથી જ કે આપણે સ્વતંત્ર છીએ. આપણી આસપાસ કેટલી જંજીરો છે એ જોવાનો પ્રયત્ન કરીએ તો કદાચ આપણને આપણી 'ગુલામી’નો ખ્યાલ આવે. આ જંજીરો જોવા માટે પણ દૃષ્ટિને મુક્ત કરવી પડે એમ છે. ખુશખુશાલ લોકોના ચહેરાઓ હોડિગ્સ પર જોઇને આપણને લાગે છે કે આપણે પણ આવા જ એક ખુશખુશાલ સમાજનો ભાગ છીએ. વધુ ટોકટાઇમ, ઇન્વેસ્ટમેન્ટનું વધુ વ્યાજ, કશાક ઉપર કશુંક ફ્રી અને સેલના પાટિયાં આપણને આકર્ષે છે, એટલે આપણે લોભના ગુલામ નથી? આપણે જાણીએ છીએ કે આ બધું જ આપણને મૂર્ખ બનાવવા માટે ગોઠવાતું માર્કેટિંગ ગિમિક છે, તેમ છતાં આપણે એ રમતમાં અટવાઇને એ લોભની ગુલામી કરીએ છીએ, એ લાલસાના કેદી બનીએ છીએ.

થોડું વધુ મળી જાય એ આશાએ કેટલીક કો-ઓપરેટિવ બેન્કમાં મુકાયેલી થાપણો સદંતર ડૂલ થયાની કથાઓ આપણને બરાબર ખબર છે, તેમ છતાં આપણે થોડાક ટકા વધુ વ્યાજની લાલચે આવા ફંદામાં હોંશેહોંશે પગ મૂકીએ છીએ... જાહેરાતોમાં દેખાડાતાં કોસ્મેટિક્સ વાળ કાળા કરે છે, ત્વચા સુંવાળી અને ચહેરા પરની કરચલીઓ દૂર કરે છે ચશ્માં પણ વ્યક્તિને સુંદર દેખાડી શકે અને પફ્યૂર્‍મથી આકર્ષાયેલી સ્ત્રી પોતાના કપડાં ઉતારી શકે... આ જાહેરાતો આપણને એક દૈહિ‌ક સમાજ તરફ દોરી રહી છે. સુંદર દેખાવું, ચિરયુવાન રહેવું, સંભોગની વધુ ક્ષણો માણવી કે ઉન્માદમાં સપડાયેલા રહેવું એ ગુલામી નથી?આપણને બધાને નશો કરવાની ટેવ પડી છે. સત્તા, સંપત્તિ, સંબંધોનો નશો છે આપણને... મારી પાસે જે છે તે બીજા પાસે નથી એ વાતનું સુખ છે અને બીજા પાસે જે છે એ મારી પાસે નથી એટલું જ દુ:ખ છે. સલામતી શબ્દ હવે બેન્ક બેલેન્સ સાથે જોડાયેલો છે. એને ઇમોશન, હૃદય, સ્નેહ કે કૌટુંબિક લાગણીઓ સાથે બહુ લાંબો સંબંધ નથી. વ્યક્તિના વ્યક્તિ સાથેના સંબંધો હવે પોઝિશન અને પાવર સાથે જોડાયેલા છે. માણસની માણસ સાથેની ચેતનાનો કે સ્નેહનો સંબંધ આપણને હવે બહુ આકર્ષતો નથી. ગુજરી ગયેલી વ્યક્તિ સાથે આપણે કેટલા અટેચ્ડ હતા એના કરતાં વધુ મહત્ત્વ પાછળ રહી ગયેલી વ્યક્તિ કેટલી ધનવાન કે કેટલી સત્તાશીલ છે એનું છે. બેસણાની સંખ્યાની ગણતરી ગુજરી ગયેલી વ્યક્તિ સાથેના સંબંધ કરતાં જે પાછળ રહી ગઇ છે એના પાવર અને પોઝિશન પર આધારિત છે. આ સ્વાર્થની ગુલામી નથી?

કોઇ એક વ્યક્તિ સાથેનો સ્નેહ સંબંધ હવે સુખ ઓછું અને અસલામતી વધારે આપે છે. એ વ્યક્તિ બીજા કોઇને નહીં ચાહે ને... એ વિચાર માત્ર બેચેન કરી મૂકે છે, આપણને સૌને. આપણે જેને ચાહીએ છીએ એ ફક્ત અને ફક્ત આપણું જ બની રહે, જીવનભર આપણને જ ચાહે, આપણા સિવાય બીજા કોઇનો વિચાર પણ ન કરે એવી જીદ, અહંકાર કે દુરાગ્રહ ઇમોશનલ ગુલામી છે ને? કોઇ પણ સ્થિતિમાં આપણને બધું જ સ્ટેટસ-કો જોઇએ છે. કશું જ બદલાવું ન જોઇએ. આપણને બદલાવાની છૂટ છે. આપણા મૂડસ્વિંગ્સ અને મિજાજના મોસમ જેવા પલટા સામેની વ્યક્તિએ ચલાવી લેવાના. એણે આપણો ગુસ્સો સહન કરવાનો, આપણી અસલામતીને સતત પંપાળી પંપાળીને સલામતીમાં ફેરવ્યા કરવાની, આપણા ગમે તેવા શબ્દો સાંભળી લેવાના અને આગ્રહો-દુરાગ્રહો, હઠાગ્રહો પોષવાના. આપણા પૂર્વગ્રહો સાથે એણે પણ હા-જી-હા કરવાની. તો જ એ વ્યક્તિ આપણને ચાહે છે એવું સાબિત થાય. જો આપણે જેને ચાહીએ છીએ એ આ બધી શરતો માન્ય ન રાખે તો આપણો પ્રેમ એને માટે નથી. આપણે બીજી વ્યક્તિને ચાહી શકીએ, આપણે પલટાઇ શકીએ - આપણે પાછા વળી શકીએ - આગળ વધી જઇ શકીએ, પણ એણે ત્યાં જ ઊભા રહીને આપણી પ્રતીક્ષા કરવાની. જો ન કરે તો એને પ્રેમ નથી - ક્યારેય નહોતો એવું આપણે નક્કી કરી લઇએ. આ આપણી માનસિક મંતવ્યોની ગુલામી નથી? ધારણાઓની ગુલામી નથી? આગ્રહો - પૂર્વાગ્રહોની ગુલામી નથી?

દિવસના કેટલા કલાકો આપણે વોટ્સએપ, ફેસબુક, એસએમએસ અને સોશિયલ નેટવર્કમાં વિતાવીએ છીએ? આપણા કુટુંબ સાથે એટલો સમય પસાર કરી શકીએ છીએ ખરા? કમ્યુનિકેશનનાં સાધનો આપણને આકર્ષે છે. વીડિયો ગેમ્સ અને યુ ટયૂબ આપણા કલાકો ખાય છે. ટેલિવિઝન ચેનલ્સ આપણને ઘણીબધી મહત્ત્વની પ્રવૃત્તિઓ કરતા રોકે છે. તેમ છતાં આપણે આ ઓડિયો-વિઝ્યુઅલ અને સોશિયલ નેટવકિગની ગુલામીમાંથી મુક્ત થઇ શકતા નથી. થોડી મિનિટો માટે જો મોબાઇલની બેટરી ડ્રેઇન થઇ જાય કે સિગ્નલ ન આવે તો બેબાકળા થઇ જઇએ છીએ, પરંતુ એકાદ દિવસ જો જાત સાથે સમય ન ગાળી શકાય કે ઇશ્વરસ્મરણ ન થઇ શકે તો એને 'બિઝી’ હોવાના બહાના હેઠળ ટાળી શકાય છે ખાવાનો સમય નથી, એટલું બધું કમાવામાં પડયા છીએ. પચાસ વર્ષ સુધી કમાઇએ ને પછી કમાયેલું બધું આ સમય દરમિયાન ગુમાવેલા સ્વાસ્થ્યને પાછું મેળવવામાં ખર્ચી નાખીએ. આને કેવી ગુલામી કહીશું?આપણું બાળક સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે.

એનું મન, મગજ અલગ છે. એનાં આગવાં સપનાં છે એવી ખબર છે આપણને. છતાં એ બાળક પાસે આપણાં સપનાં પૂરાં કરાવવાની જીદ છે આપણી. એને ડોક્ટર બનાવવા માટે પદ, પ્રતિષ્ઠા, પરિશ્રમ અને પૈસા કામે લાગે છે... પણ એને તો કલાકાર બનવું છે આપણું બાળક સાચું બોલે એવો આગ્રહ છે, પણ એની સામે જૂઠું બોલતાં અચકાતા નથી આપણે. બાળક આપણું સન્માન કરે એ આપણી મિનિમમ જરૂરિયાત છે, પણ આપણા જીવનસાથીને (જે એને માટે એની મા કે પિતા છે) ઉતારી પાડતા, અપમાન કરતા કે એની સાથે ઝઘડતા પહેલાં આપણે બાળકની લાગણીનો વિચાર નથી કરતા. આઝાદ હોવું એટલે સ્વયં સાથેના સંબંધથી સમન્વિત હોવું. જાતને ઓળખીને, પોતાની મર્યાદાઓને સ્વીકારીને, પોતાની ભૂલો સુધારતા રહેવાની પ્રક્રિયા આઝાદીની પક્રિયા છે. કમાવાથી કે ઇન્વેસ્ટમેન્ટથી આઝાદી નથી આવતી એવું સ્ત્રીઓએ પણ સમજવાની જરૂર છે પોતાની જાત સાથે એકલા સમય ગાળી શકે એવા તમામ લોકો આઝાદ છે. જે સેલફોન વગર થોડો સમય વિતાવી શકે છે એ સ્વતંત્ર છે. જેને સંબંધો ખરીદવા માટે પાવર કે પોઝિશન બાર્ટર નથી કરવા પડતા એ મુક્ત છે. જે પોતાનો હાથ પોતાના જ હાથમાં પકડીને સ્નેહની અનુભૂતિ કરી શકે છે એ સ્વાધીન છે.
kaajalozavaidya@gmail.com

એક અધૂરી લવસ્ટોરી

 
 
 
"એક દર્દ હતું જેને મેં સિગારેટની જેમ ચૂપચાપ પીધું છે. ફક્ત કેટલાંક ગીત છે જે સિગારેટ પરથી મેં રાખની જેમ ખંખેર્યાં છે." અમૃતા પ્રીતમની કવિતાના આ શબ્દો છે. અમૃતા પ્રીતમના સંગ્રહ 'સુનેહડે'ને ૧૯૫૭માં અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. પંજાબી શબ્દ 'સુનેહડે' એટલે ગુજરાતીમાં સંદેશા. અમૃતાને અકાદમી પુરસ્કારની જાણ ફોન પર કરવામાં આવી. અમૃતા લખે છે, ફોન પર ખબર મળતાં માથાથી પગ સુધી હું સળગી ઊઠી. હે ભગવાન! આ 'સુનેહડે'(સંદેશા) મેં કોઈ ઇનામ માટે નહોતા લખ્યા. જેના માટે લખ્યા હતા તેણે વાંચ્યા નહીં, હવે આખી દુનિયા વાંચે તોયે મને શું?
અમૃતા પ્રીતમ આગળ લખે છે, તે દિવસે સાંજે એક પ્રેસ રિપોર્ટર આવ્યો. ફોટોગ્રાફર પણ સાથે હતો. તેને હું કવિતા લખતી હોઉં એવો ફોટો ખેંચવો હતો. મેં સામે મેજ પર કાગળ મૂક્યો અને હાથમાં કલમ લઈને કાગળ પર કોઈ કવિતા લખવાને બદલે એક અભાન જેવી દશામાં એનું નામ લખવા માંડયું, જેને માટે મેં 'સુનેહડે' લખ્યા હતા. સાહિર... સાહિર... સાહિર...
સાહિર સાથેની અમૃતાની એક બીજી ઘટના. અમૃતા ખુદ લખે છે, એક વાર એક ઉર્દૂ મુશાયરામાં લોકો સાહિરના ઓટોગ્રાફ લઈ રહ્યા હતા. લોકો છૂટા પડયા એટલે મેં હસીને મારી હથેળી એની સામે ધરીને કહ્યું, ઓટોગ્રાફ! સાહિરે હાથમાં લીધેલી કલમની શાહી પોતાના અંગૂઠા પર લગાડી અને એ અંગૂઠો મારી હથેળી પર લગાવ્યો, જાણે મારી હથેળીના કાગળ પર હસ્તાક્ષર કર્યા હોય! મારા આ કાગળ પર શું લખેલું હતું જેની પર એણે હસ્તાક્ષર કર્યા હતા, એ બધું હવાને હવાલે છે. એણે ન એને ક્યારેય વાંચ્યું ન જિંદગીએ... આ ઘટના પછી અમૃતાએ એક કવિતા લખી હતી, 'મારી જિંદગીના આ કાગળ પર તારા પ્રેમે અંગૂઠો પાડયો છે, એનો હિસાબ કોણ ચૂકવશે?'
સાહિર સાથેના પ્રેમની વાત અમૃતા પ્રીતમે તેની આત્મકથા 'રેવન્યુ સ્ટેમ્પ'માં દિલ ખોલીને લખી છે. અમૃતાએ લખ્યું છે, લાહોરમાં જ્યારે કોઈ વાર સાહિર મળવા આવતો હતો ત્યારે જાણે મારી ખામોશીમાંથી નીકળેલો એક કકડો ખુરશી પર બેસતો હતો અને ચાલ્યો જતો હતો. તે ચૂપચાપ ફક્ત સિગારેટ પીધા કરતો. લગભગ અડધી સિગારેટ પીને રાખદાનીમાં બુઝાવી દેતો, પછી નવી સિગારેટ સળગાવી લેતો. એના ગયા પછી કેવળ સિગારેટના મોટા મોટા ટુકડા ઓરડામાં રહી જતા. કોઈક વાર એના હાથને સ્પર્શવાની ઇચ્છા થતી પણ મારી સામે મારા જ સંસ્કારોનું એક એવું અંતર હતું જે કાપી શકાતું ન હતું. સાહિરના ગયા પછી હું એણે નાખેલા સિગારેટના ટુકડા સંભાળીને ખાનામાં મૂકી દેતી અને પછી એકલી બેઠી બેઠી, એક એક ટુકડો સળગાવતી અને આંગળીઓની વચ્ચે પકડતી ત્યારે લાગતું હતું કે હું જાણે એના હાથને સ્પર્શી રહી છું. સિગારેટ પીવાની આદત મને ત્યારે જ પહેલી વાર પડી. દરેક સિગારેટ સળગાવતી વખતે લાગતું કે તે પાસે છે. સિગારેટના ધુમાડામાં જાણે એ જીવનની જેમ પ્રગટ થઈ જતો.
૩૪ વર્ષ અગાઉ ૨૫મી ઓક્ટોમ્બર, ૧૯૮૦ના રોજ ૫૯ વર્ષની ઉંમરે સાહિર લુધિયાનવી આ ફાની દુનિયા છોડીને ચાલ્યા ગયા. નવ વર્ષ અગાઉ ૩૧મી ઓક્ટોમ્બર, ૨૦૦૫ના રોજ ૮૬ વર્ષની ઉંમરે અમૃતા પ્રીતમે પણ દેહ છોડી દીધો. હજુ એક એવી વ્યક્તિ દિલ્હીમાં રહે છે જેણે અમૃતા પ્રીતમને ભરપૂર પ્રેમ કર્યો છે એ છે ઇમરોઝ. ૪૧ વર્ષ સુધી ઇમરોઝ અમૃતા સાથે લિવ-ઇન રિલેશનમાં રહ્યા. ઇમરોઝ એક એવા પ્રેમી હતા જેણે અમૃતાનો સાહિરનો પ્રેમ પણ સહજતાથી જીવી જાણ્યો છે. ઇમરોઝનો પ્રેમ તો સાહિર અને અમૃતાના પ્રેમ કરતાં પણ ચાર ચાસણી ચડે એવો હતો. કોઈ અપેક્ષા નહીં, કોઈ ફરિયાદ નહીં, માત્ર ને માત્ર સંપૂર્ણ સ્વીકાર અને છલોછલ પ્રેમ. એક જ ઘરમાં એકસાથે બે લવસ્ટોરી જિવાતી હતી. અમૃતા અને સાહિરની તથા ઇમરોઝ અને અમૃતાની!
અમૃતા અને સાહિર બંનેનો જન્મ અત્યારના પાકિસ્તાનમાં થયો. ભાગલા પડયા પછી બંને ઇન્ડિયા આવી ગયાં. મુલાકાતો થતી, વાતો થતી અને પ્રેમનો અહેસાસ જીવંત થતો. દિલ્હી આવ્યા પછી એક દિવસ અચાનક જ સાહિરે ફિલ્મમાં કરિયર બનાવવાના હેતુથી મુંબઈ પ્રયાણ કર્યું. સાહિરે લગ્ન કર્યાં જ નહીં, અમૃતા પ્રત્યે તેનેય પ્રેમ હતો. એ પ્રેમ અધૂરો જ રહ્યો. મુંબઈ આવ્યા પછી સાહિરના સંબંધો વિશે પણ ચર્ચાઓ થતી. આખરે સાહિર પણ ઉચ્ચ કક્ષાના શાયર હતા, છતાં તેના દિલના એક ખૂણામાં અમૃતા જ જીવતી હતી.
ઇમરોઝ અમૃતામય હતા. અમૃતાની સાહિર પ્રત્યેની લગ્ન અને તડપના તે સૌથી મોટા સાક્ષી હતા. અમૃતા સ્કૂટર પર પાછળ બેસી ઇમરોઝ સાથે જતાં હોય ત્યારે પણ અમૃતા ઇમરોઝની પીઠ પર શર્ટ ઉપર આંગળીથી સાહિર લખતાં હતાં. ઇમરોઝ કહેતાં કે મને ખબર છે કે તું શું લખે છે! જિંદગીની છેલ્લી ક્ષણ સુધી ઇમરોઝ અમૃતાની સાથે રહ્યા. ઇમરોઝે સાહિર સાથે જ અમૃતાનો સ્વીકાર કર્યો હતો. જે સાહિર માટે અમૃતા તડપતી હતી એ જ સાહિર તેને છોડીને મુંબઈ ચાલ્યો ગયો હતો. સાહિરને ફોન કરીને અમૃતા પોતાનું મન મનાવતાં હતાં.
૧૯૬૦ના વર્ષના એક દિવસની વાત છે. અમૃતા તેની આત્મકથામાં લખે છે. આ વર્ષ મારી જિંદગીનું સૌથી ઉદાસ વર્ષ હતું. જિંદગીના કેલેન્ડરમાં ફાટેલાં પૃષ્ઠ જેવું! સાહિર સાથે વાત કરવા ફોન પાસે ગઈ. ફોન પાસે જ 'બ્લિટ્ઝ' અખબાર પડયું હતું. તેમાં એક તસવીર છપાઈ હતી. સમાચાર પણ હતા કે સાહિરને જિંદગીની એક નવી મહોબ્બત મળી ગઈ છે. હાથ ફોનના ડાયલથી થોડા ઈંચ દૂર શૂન્યમાં ઊભા રહી ગયા. મેં મરવાનો વિચાર કર્યો. આવો ભીષણ વિચાર જ્યારે થોડોક મોળો પડયો ત્યારે મેં જીવવા માટે મારું મન દૃઢ કરી લીધું. મેં વિચાર્યું કે ઉદાસીને હું મારો એક શાહી લિબાસ બનાવી દઈશ અને આખો વખત પહેરી રાખીશ. એ વર્ષના અંતમાં હું એક સાઇકિયાટ્રિસ્ટની સારવાર નીચે રહી. એના કહેવા પ્રમાણે દરરોજ મારાં વિચારો અને સ્વપ્નો કાગળ પર લખ્યાં કરતી હતી. આ વિચારો અને સ્વપ્નોની વાત અમૃતાએ તેની આત્મકથામાં લખી છે. વેદનાની પરાકાષ્ઠા કેવી હોય એ તેની દરેક વાતમાં છલકે છે.
અમૃતાને પહેલા લગ્નથી બે સંતાનો હતાં. દીકરો નવરોજ અને દીકરી કંદલા. નવરોજની ઉંમર તેર વર્ષની હતી. બધા એવી વાતો કરતા હતા કે નવરોજ અમૃતાના પતિનો નહીં પણ સાહિરનો દીકરો છે. એક દિવસ ખુદ નવરોજે અમૃતાને પૂછીને ચોંકાવી દીધી. નવરોજે કહ્યું કે, "મમ્મા, એક વાત પૂછું? સાચેસાચું કહીશ?" અમૃતાએ હા પાડી. નવરોજે પૂછયુંં, "શું હું સાહિર અંકલનો દીકરો છું?" અમૃતાએ એક જ શબ્દમાં જવાબ આપ્યો, ના. નવરોજે કહ્યું કે, "પણ જો હોઉં તો કહી દો. મને સાહિર અંકલ ગમે છે." અમૃતાએ કહ્યું કે, "હા દીકરા, મને પણ ગમે છે, પણ જો એ સાચું હોત તો મેં તને જરૂર કહી દીધું હોત." અમૃતા લખે છે, સત્યનું એક બળ હોય છે, એટલે મારા દીકરાને વિશ્વાસ બેઠો. વિચાર આવે છે કે કલ્પનાનું સત્ય નાનું નહોતું, પરંતુ તે ફક્ત મારા માટે હતું. તે સત્ય સાહિર માટે પણ નહોતું.
અમૃતા જીવતી હતી ઇમરોઝ સાથે, પણ એનો જીવ સાહિરમાં હતો. અલબત્ત, ઇમરોઝની તેને કદર હતી. અમૃતાએ લખ્યું છે કે, જિંદગીની બધી મુશ્કેલીઓ નાનું સત્ય છે અને ઇમરોઝનો સાથ મોટું સત્ય. ઇમરોઝનાં અમૃતાએ ભરપેટ વખાણ કર્યાં છે છતાં એણે સાહિરના પ્રેમને ક્યારેય છુપાવ્યો નથી. એક વખત અમૃતાએ કહ્યું હતું કે, ઇમરોઝ મારું છાપરું છે અને સાહિર મારું આકાશ!
હવે આ લવસ્ટોરી પડદા પર આવવાની છે. અમૃતા, સાહિર અને ઇમરોઝના સાહિત્યથી જે લોકો વાકેફ છે એને એવો વિચાર આવી જ જાય કે આ ત્રણેયના પ્રેમની ડેપ્થ, એકબીજાની તડપ અને સંવેદનાનું સત્ય કોઈ કલાકાર ઝીલી શકશે કે કેમ? આ લવસ્ટોરી ઉપરાંત અમૃતા પ્રીતમની લાઇફનાં કેટલાં બધાં પાસાં છે. અલ્હડ સુંદરતાની સાથે ગજબની લેખનશૈલી કુદરતે અમૃતાને આપી હતી. સાહિરની રચનાઓની તો વાત જ નિરાળી છે. એ બંને વચ્ચે એક ચિત્રકાર ઇમરોઝ. એવું લાગ્યા વગર ન રહે કે પ્રેમ કોઈક જુદી જ ધરી ઉપર હન્ડ્રેડ પર્સન્ટ જિવાતો હતો. અધૂરાપણામાં પણ સંપૂર્ણતા હતી અને સંપૂર્ણતામાં પણ કંઈક અધૂરપ હતી!
અમૃતા પ્રીતમ લખે છે, ખુશવતસિંઘે રેવન્યુ સ્ટેમ્પ કદાચ એટલા માટે કહ્યું હશે, કારણ કે બીજી ટિકિટોની સાઇઝ બદલતી રહે છે, પણ રેવન્યુ સ્ટેમ્પની એ જ નાનકડી સાઇઝ રહે છે. તેણે બરાબર જ કહ્યું હતું. જે કંઈ બન્યું, મનની ભીતરમાં બન્યું અને એ બધું નજમો અને નોવેલ્સને હવાલે થઈ ગયું. પછી બાકી શું રહ્યું? તોપણ થોડુંક લખું છું. કંઈક એવું, જાણે જિંદગીના હિસાબના કાગળો પર એક નાનકડો રેવન્યુ સ્ટેમ્પ ચોંટાડું છું. નજમો અને નોવેલ્સના હિસાબના કાચા સ્ટેમ્પને પાકો સ્ટેમ્પ કરવા માટે.
 


We may not be able to explain what it is. We may not be able to give a “reason.”

That strong recognition is insight.

We could read the words written by someone. We may feel aligned with those words for they allow us to remember something that we knew.

That is insight.

As our consciousness changes in our life time, we will be able to recognize things as “true” for us.

The mind could be deceiving. Our senses deceptive, but that insight is the driving force in our destiny if we recognize it.

The piece of the puzzle in life will fit as it is meant to be if we learn to listen to that insight.

Nothing happens out of a random whim. There is a script already going that will allow us to reach our destiny in life.


The clues are out there. Every experience, every encounter, every step is getting us closer to it.

That magic of “fitting in” gets disturbed through unnecessary thinking and by blindly following our emotions.

Thinking and emotions are the 2 extremes of human behavior.
It is in the above realization, when we could understand the necessity to allow our intuition, our insight to evolve in us, for that is the stamp, the mark that life has placed in us to uncover life itself through our own experiences.
That is how to “know the self” means to recognize that we are a piece of the "big puzzle" which moves harmoniously by flowing with the calling of that insight.

That is how we could be "true to ourselves."

The mind collects information to figure out life. Many may think that the most information we acquire, the better off we are.

“I read all the books from Chopra, Dyer, Tolle, Krishnamurti, Osho, Lao Tzu, Plato, St. Augustine and Einstein.”

Did we recognize something in those books about ourselves which will help us to find ourselves? :-)

To be a walking library of "self-help" authors does not mean that we could live life with joy.

“I have joined many religions throughout my life. I am very experienced in Spirituality.”

So what? :-)

To bring a “Spiritual” resume with us does not mean that someone has found joy in his life. Joining a group does not mean joy. "Joining" and "Joy" are 2 different words. :-)

When the piece of the puzzle fits the Totality, Joy is the only avenue. We have "arrived." :-)

Everything is already in us.

Why can’t we see it?


Why do we look out there for that insight which is in us already?

That may be another paradoxical aspect of life: To go out to search for something, which is inside. So much for that cliché.



__._,_.___
ગુણવત્તા-સંસ્કૃતિ- ૮ || શ્રેષ્ઠ કાર્યપદ્ધતિઓ સંદર્ભોચિત હોય છે.....- તન્મય વોરા
 – યથોચિત સંદર્ભમાં કોઈ બીજાં માટે તે બહુ જ સારી રીતે કામમાં આવેલ હોઈ શકે છે.
પણ, આપણે તેમનો ઉપયોગ યોગ્ય સંદર્ભમાં કરી રહ્યાં છીએ ખરાં ?

ધારો કે કોઈ દાકતર દર્દનાં ચિહ્નો અને ઈતિહાસની વિગતો બરાબર તપાસ્યા વગર જ દર્દીને કોઈ દવા લખી આપે તો ? એ વાત ખરી કે એ દાક્તરને એ દવાની ઉપયોગિતા વિષે તો સારી એવી જાણકારી હશે, પણ એ દર્દીની તાસીર, તેનાં દર્દનાં ચિહ્નો અને ઈતિહાસના સંદર્ભને બરાબર તપાસ કર્યા વગર આપેલી પેલી ‘શ્રેષ્ઠ દવા’ ખરેખર દર્દીને ઉપકારક નીવડશે જ એવી ખાત્રી બંધાઈ શકે ખરી?
પ્રક્રિયા સંચાલકો સંસ્થા માટે એવા દાક્તરોની ભૂમિકા ભજવે છે. તેમણે બધી જ શકય અસરો અને તેની પાછળનાં કારણો – દર્દનાં ચિહ્નો-નાં વિશ્લેષણની મદદથી ખરી સમસ્યા ખોળી કાઢ્યા પછી જ નિવારણ – દવા- સૂચવવી જોઈએ. અલગ અલગ દર્દની ‘શ્રેષ્ઠ દવાઓ’ને મૅનેજમૅન્ટની ભાષામાં આપણે ‘શ્રેષ્ઠ કાર્યપધ્ધતિઓ’ તરીકે ઓળખીએ છીએ.
શ્રેષ્ઠ કાર્યપધ્ધતિઓ એ એવી પ્રક્રિયાઓ છે જે એક ચોક્કસ સંદર્ભમાં ઉત્પાદન કે સેવા જેવાં ગુણવત્તાનાં ઉત્તમ પરિણામો આપી શકવાની બધી જ શકયતાઓ ધરાવે છે. સંદર્ભ નિશ્ચિત કરવા માટેનાં સમીકરણમાં:
સંસ્થાગત ધ્યેય
બજારનાં કયાં ક્ષેત્રમાં આપણે કાર્યરત છીએ
કયાં ગ્રાહકો વિષે આપણે પ્રવૃત્ત છીએ
આપણાં ઉત્પાદન કે સેવાઓની આ બાબતે પ્રસ્તુત વિશિષ્ટતાઓ
કયાં ગ્રાહકોને આપણે હાલ ઉત્પાદન કે સેવાઓ પૂરી પાડી રહ્યાં છીએ
હાલની કે ભવિષ્યમાં ગઠિત થનારી ટીમની ક્ષમતાઓ અને આંતરિક જોડાણ કડીઓ
સુધારા પરિયોજના માટે મૅનેજમૅન્ટનો અભિગમ અને પ્રતિબદ્ધતા
બજારનાં બાહ્ય પરિબળો (જેવાં કે મંદી, હરીફ સંસ્થાની ક્રિયાશીલતા, કાયદાકીય નિયમનો વગેરે)
જેવાં ચલ ધટકો મહત્ત્વનો ફાળો ભજવે છે.
આ યાદીમાં આવી ઘણી બાબતો સમાવી શકાય. પણ આજની ચર્ચા માટે તો એટલું જ નોંધવાનું છે કે ઘણીવાર શ્રેષ્ઠ કાર્યપદ્ધતિઓની ભૂતકાળમાં થયેલી સફળતામાં આ ઘટક પરિબળોના ફાળાની પૂરતી સમીક્ષા નથી થતી. એવું પણ બને કે દેખીતી રીતે પરિબળ એ જ હોય , પણ આ પરિબળો ક્યારે પણ અગતિક ન હોવાને કારણે તેનો સમયોચિત સંદર્ભ બદલી જતો હોય છે. ટુંકમાં, સંસ્થાના સંદર્ભને ધ્યાનમાં લીધા સિવાયનો શ્રેષ્ઠ કાર્યપદ્ધતિનો અમલ, દર્દીની પૂરેપૂરો તપાસ્યા વગર ‘ઉત્તમ દવા’ લખી આપવા બરાબર છે. બંને કિસ્સાઓમાં પરિણામો ખતરનાક નીવડી શકે છે !
તો પછી શ્રેશ્ઠ કાર્યપદ્ધતિઓ કેમ કરીને ઉપયોગી નીવડે ?
શ્રેષ્ઠ પદ્ધતિઓનું જ્ઞાન અને અભ્યાસ કોઈ પણ પડકાર માટેના શક્ય ઉપાયો માટેના નકશાનું રેખાચિત્ર બનાવવામાં મદદરૂપ બને છે. જુદી જૂદી કાર્યપદ્ધતિઓ, અને તેમના સંદર્ભો, જોખમોને પહોંચી વળવા માટેનાં વૈકલ્પિક દૃષ્ટિકોણની રજૂઆત તરીકે પણ ઉપયોગી નીવડે છે.
પ્રક્રિયા સુધારણાના નિષ્ણાતો માટે શ્રેષ્ઠ કાર્યપદ્ધતિઓ બહુ સબળ અસ્કમાયત બની રહે છે. પણ તેમના સફળ અને અસરકારક અમલ માટે એ કાર્યપદ્ધતિઓ માટે સંસ્થાના સંદર્ભનાં ઔચિત્યને સમજવાની તેમની ક્ષમતા બહુ મહત્ત્વનો ફાળો ભજવે છે. દરેક પરિસ્થિતિ માટે શ્રેષ્ઠ કાર્યપદ્ધતિ હાથવગી હોય, પણ તે એ સ્થિતિને અનુરૂપ નીવડીને ઉત્તમ ઉપાય સાબિત થશે કે કેમ એ ન સમજી શકે તો એવી નિપુણતા તેટલે અંશે કાચી પડે ખરી!
સંસ્થાની સમક્ષ રહેલા આગવા પડકારો માટેનાં ઔચિત્યના સંદર્ભમાં, શ્રેષ્ઠ કાર્યપદ્ધતિઓને ખૂબ ધ્યાનપૂર્વક સમજીને પછીથી તેમનો અમલ કરવાથી તેનો મહત્તમ ફાયદો લઈ શકાય છે. આમ કરી શકવા માટે સુધારણા સંચાલકોને સંસ્થાની પ્રવૃત્તિઓની ગલીગુંચીઓના ખાડા ટેકરાઓની પૂરેપૂરી ખબર હોવી જરૂરી છે. એક વાર સંદર્ભ સ્પષ્ટ બની જાય, તો તે પછી શ્રેષ્ઠ કાર્યપદ્ધતિ આપણું ઉત્તમ રાહબર બની રહી શકે છે, જેને કારણે વારંવાર એકડો ઘૂંટવાની જરૂર નથી રહેતી. સંદર્ભ અનુસાર, એ શ્રેષ્ઠ કાયપદ્ધતિ આખેઆખી અપનાવી શકાય. પણ જો તેમ શકય ન જણાય, તો તેના સંદર્ભોચિત અંશને કામે લગાડી શકાય.
યાદ રહે કે –
કોઈ બીજાંને ભૂતકાળમાં કોઈ શ્રેષ્ઠ કાર્યપદ્ધતિ ફળી છે, એટલે આપણને પણ ફળશે જ એમ માનીને આંખો બંધ કરીને અમલ કરવાથી તે ઉપયોગી થવા કરતાં વધારે નુકસાન પણ થઈ શકે છે.
વાસ્તવિક દુનિયામાં સોનાની તાસકમાં ગુલાબની પાંખડીઓથી હંમેશાં સ્વાગત નથી થતું. યોગ્ય સંદર્ભ વિના નવીનીકરણ કે સુધારણા જેવા ખ્યાલો હવાઈ કિલ્લા જ બની રહી શકે છે.
ડિલ્બર્ટનાં એક કૉમીકમાં કહ્યું છે ને કે “જો બધાં જ શ્રેષ્ઠ કાર્યપદ્ધતિ અખત્યાર કરી શકતાં હોય , તો તે શ્રેષ્ઠ કાર્યપદ્ધતિ અતિ સામાન્ય કક્ષાની હોવી જોઈએ.”