SANKLAN

SANKLAN
SANKLAN

Tuesday, 16 September 2014

અપૂરતી ઊંઘનાં ખતરનાક પરિણામો...
 
 
 
પરિશ્રમ કરનારા શ્રમજીવીઓ પાતળી ગોદડી પર ઘસઘસાટ ઊંઘી જતાં હોય છે અને ડનલોપના ગાદલા પર કેટલાયે સમૃદ્ધ લોકો આખી રાત પડખા ઘસતાં હોય છે. સગવડોથી સુખ-શાંતિ ક્યારેય મળતા નથી અને મનની શાંતિ સિવાય પ્રગાઢ ઊંઘ આવતી નથી. સુખ-શાંતિ માટે અંત:કરણ નિર્મળ હોવું જરૂરી છે. ચિંતા, ઉદ્વેગ, મોહ, ક્રોધ વગેરે અંત:કરણને મલિન કરે છે.

નિદ્રા દેવી: આપણે જેને નિદ્રા દેવી કહીએ છીએ, તે સાચા અર્થમાં દેવી છે. જેમ શરીરને ટકાવી રાખવા માટે ખોરાકની જરૂર છે, તેટલી જરૂરિયાત ઊંઘની પણ છે. તાજેતરમાં થયેલા કેટલાક અભ્યાસ એવું સૂચવે છે કે રોગો અને જીવાણુઓ સામેના સતત યુદ્ધથી ક્ષીણ થઈ ગયેલું શરીરનું રોગપ્રતિકારક શક્તિનું તંત્ર પૂરતી ઊંઘ લેવાથી ફરીથી ચેતનવંતુ બને છે. અપૂરતી ઊંઘથી તમારી પ્રતિક્રિયા ધીમી પડે છે. ચપળતા ઘટે છે અને શરીરની આંતરિક પ્રક્રિયા ખોરવાય છે. શરીરને પોષણ આપતી ઊંઘ માટે જ ભૂતધાત્રી કહેવાય છે. વારંવાર ભૂલો કરતી ગૃહિણીઓએ એવું ના માની લેવું કે તેમની યાદશક્તિ ઘટી ગઈ છે. ઘણીવાર એમાં અપૂરતી ઊંઘ જવાબદાર હોય છે. ઓફિસના માણસો ઉપર વગર કારણે વારંવાર ચિડાઈ જતાં નંદુભાઈએ ત્રણ - ચાર વાર ડાયાબિટીસ વગેરે રિપોર્ટ કરાવ્યા. બધા રિપોર્ટ નોર્મલ. જ્યારે તેઓ સાયકોએનાલીસ્ટ પાસે ગયા ત્યારે તેમની વારંવાર ચીડનું કારણ અપૂરતી ઊંઘ નીકળી આવ્યું. રાતપાળીમાં કામ કરતાં કામદારો, ટી.વી. કે ફિલ્મ સાથે જોડાયેલા કસબીઓ, ૂવફતિંફાા, િૂંશિિંંયિ કે ઋઇ પર મોડી રાત સુધી ટોળ-ટપ્પા કરતાં યુવાનો - આ સહુનું પાચનતંત્ર એક યા બીજી રીતે ખોરવાયેલું રહે છે. ગૅસ, એસિડિટી, હાઈબ્લડપ્રેશર, આંખે ચશ્મા, નાની ઉંમરે સફેદ વાળ થવા વગેરેને નોતરું મળી જાય છે. આવા લોકો બીજા દિવસે સતત થાક અનુભવતા હોય છે. ઊંઘની ગોળીની આડઅસર: ઊંઘ પર રિસર્ચ કરતાં વૈજ્ઞાનિકો સ્પષ્ટપણે માને છે કે ઊંઘ લાવનારી ગોળીઓનું નિયમિત સેવન કરવાથી આ ગોળીઓ જ અનિદ્રાના વિષવૃક્ષનું કારણ બને છે અને પોષે છે.

અશ્ર્વગંધા ક્ષીરપાક: અશ્ર્વગંધામાં એક મુખ્ય ઘટક છે. સોમ્નીફેરમ જે ઊંઘ લાવનારું તત્ત્વ છે. એક કપ ગાયનાં દૂધમાં એક કપ પાણી + અડધી ચમચી અશ્ર્વગંધા ચૂર્ણ + એક ચમચી સાકર નાખીને, પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળવું. ઠંડું થયે બે ચપટી ગંઠોડા નાખીને પીવું. લાંબો સમય આ ઉપચાર કરવાથી કોઈ આડઅસર નથી કે ટેવ પણ પડતી નથી. અશ્ર્વગંધા સારી ગુણવત્તાવાળું લેવું. નિષ્ણાત વૈદ્યરાજના માર્ગદર્શનમાં મુખ્ય કારણ શોધીને યોગ્ય સારવાર કરવાની.

દહીં + ડુંગળી: ડુંગળીના નાના નાના કકડા કરી દહીંમાં નાખીને મશક્ષક્ષયિ વખતે ખાવાથી પ્રગાઢ નિદ્રા આવે છે, તેવું અનુભવીઓનું માનવું છે.

ઝઈંઙજ: રાત્રે સૂતી વખતે હાથ-પગના તળિયે ગાયના ઘીનું કે દિવેલથી માલિશ કરવું.