SANKLAN

SANKLAN
SANKLAN

Monday, 21 July 2014

કવિ શ્રી રમેશ પારેખના નિધન પછી જય વસાવડાની કોલમમાં પ્રગટ થયેલો આ લેખ એમણે થોડા વખત પહેલા એમના બ્લોગપર ફરીથી પ્રસ્તુત કર્યો હતો, એ આજે એમની પરવાનગી સાથે અહીં ટહુકો પર …..
***************
સમજયા, ચંદુભાઇ!
એને ટેવ નડી, ટેવ…
ખોતરવાની.
આ ખુસાલિયો કાંઇ ખોતરવે ચડયો,
કાંઇ ખોતરવે ચડયો…
છેવટે ઇણે ઇનું મગજ ખોતર્યું
મોટા મોટા ખાડા કર્યા ઇમાં
મૂળે ખુસાલિયાને ગોતવું’તુ સુખ
જોવું’તું નજરોનજર
પછી પારકું હોય કે પોતાનું- પણ સુખ
ઇ અડબાઉને એમ કે
ચોપડિયુંમાં લખ્યું હોય ઇ બઘું સાચું જ હોય
સુખના ઝાડવા ફિલમુમાં ઉગે
સુખના ફુવારા કવિતામાં ઉડે
નવલકથાયું વાંચે એમાં હોય સુખના હિલ્લોળા
તે ખુસાલિયાને એમ જ થઇ ગ્યું કે સુખ હોય!
દીકરો અહીં જ થાપ ખાઇ ગ્યો…
એને એમ કે સોમવાર કે રવિવાર હોય
એમ સુખ પણ હોય જ!
ટપુભાઇને તરવેણીબેનની જેમ
સુખે ય આપડે ત્યાં આવે…
અક્કલના ઇસ્કોતરાને કહેવું ય સું?
આપણે તો જાણીએ, ચંદુભાઇ કે
સસલાને શિંગડા હોય તો
માણસને સુખ હોય.
ઠીક છે, ડાહી ડાહી વાતું કરીએ
ચોપડિયું વાંચીએ
જે વાંચવુ જોઇએ એ વાંચ્યું નહીં
પૂછજો એને, ઇતિહાસ વાંચ્યો છે એણે?
છે ચપટીય સુખ મળ્યાનો ઉલ્લેખ કોઇ પાને?
એક દિવસ ખુસાલિયો
પોતાના સપનાંને અડ્યો’તો!
ત્યારથી આવી દિમાગને ચાટી જાતી બળતરાઉં!
પણ હાળો મરસે !
સુખ નથી આઠે બ્રહ્માંડમાં
સુખ નામનો પદારથ જ નથી આ ભોં પર
આવી વાત ઇ જાણતો નથી
ઇ જ એનું સુખ!

No comments:

Post a Comment