વૃદ્ધાશ્રમ જરૂરી છે?
આંગણની તુલસી - અવંતિકા ગુણવંત
‘તેં કપડાં બાફી લીધાં?’ જયેશભાઈએ એમના પત્ની સ્મિતાબેનને પૂછયું. રોજ ઘરનાં બધાં નાહી લે પછી જે કપડાં ધોવાના હોય એ સાબુના પાણીમાં બફાતાં હતા.
સ્મિતાબેને કહ્યું, ‘ના, આજે મેં નહીં પણ રમ્યાએ કપડાં બાફયાં છે.’
‘રમ્યાએ કપડાં બાફ્યાં પહેલાં ખિસાં તપાસ્યાં હતાં?’ જયેશભાઈએ સહેજ અધ્ધરજીવે પૂછયું.
‘રમ્યાએ મને કંઈ કહ્યું નથી કે આપ્યું નથી, પણ તમારા લેંઘાના ખિસામાં કંઈ મહત્ત્વનું હતું?’
‘હા, થોડાં સરનામાં હતા.’ ઉચાટભર્યા અવાજે જયેશભાઈ બોલ્યા.
‘સરનામાં? કોનાં સરનામાં?’ સ્મિતાબેને પૂછયું.
‘વૃદ્ધાશ્રમનાં સરનામાં હતાં.’ જયેશભાઈએ જવાબ આપ્યો. એમના અવાજમાં ચિંતા હતી. સસરાનો ચિંતાભર્યો અવાજ સાંભળીને પુત્રવધૂ રમ્યાએ જયેશભાઈને પૂછયું:
‘પપ્પાજી, વૃદ્ધાશ્રમના સરનામાં કેમ?’
‘કોઈવાર ખપ લાગે.’ જયેશભાઈ બોલ્યા.
‘પણ તમારે શું ખપ લાગે? તમારે વૃદ્ધાશ્રમનાં એડ્રેસની ક્યારેય જરૂર પડવાની?’ નવાઈ પામતા રમ્યાએ પૂછયું.
જયેશભાઈ બોલ્યા નહિ, સહેજ હસ્યા, પરંતુ રમ્યાએ સસરાજીના ટેબલ પર વૃદ્ધાવસ્થાને લગતું એક પુસ્તક જોયું હતું એ યાદ આવ્યું.
રમ્યાએ એના પતિ સમકિતને વૃદ્ધાવસ્થાના પુસ્તક વિશે કહ્યું અને ઉમેર્યું કે પપ્પાજીએ વૃદ્ધાશ્રમનાં સરનામાંનું લિસ્ટ કેમ બનાવ્યું છે? આપણી સાથે આટલો મનમેળ છે, છતાં તેમને આપણા માટે કોઈ ફરિયાદ છે? તો આપણને કહેતા કેમ નથી?
સમકિતે જયેશભાઈને પૂછયું, ‘પપ્પા આપણો સંબંધ એકદમ નિખાલસ અને ખુલ્લા હૃદયનો છે તો પછી વૃદ્ધાશ્રમના. સરનામાં તમે કેમ એકઠા કરો છો? અમારાથી કોઈ ભૂલ થતી હોય તો અમને કહો.’
જયેશભાઈ બોલ્યા, ‘બેટા અમને તારા તથા રમ્યા પર પૂરેપૂરો વિશ્ર્વાસ છે, પરંતુ આપણા સમાજમાં ચારેબાજુ જે વાતો સંભળાય છે તેથી કયારેક મન ઢીલું પડી જાય છે. અમને ડર લાગે છે કે કદાચ સ્વમાન માટે અથવા તો સલામતી માટે અમારેય આ ઘર છોડવું પડે, એવા વખતે વૃદ્ધાશ્રમની યાદી કદાચ ખપ લાગે. અમને નહીં તો કોઈ મિત્રને ખપ લાગે માટે તમારા મનમાં ખોટી ગેરસમજ ઊભી ન કરો.’
જયેશભાઈને સમકિતને પોતાના મનની વાત કરી પણ સમકિતના ચહેરા પરથી દેખાઈ આવતું હતું કે એના મનનું સમાધાન નથી થયું તેથી જયેશભાઈએ દીકરાને સમજાવવા પ્રેમાળ સૂરમાં કહ્યું, ‘બેટા, આજે અમે બે - હું અને તારી મમ્મી છીએ તેથી અમને એકબીજાની કંપની મળી રહે છે, પરંતુ જયારે અમે બેમાંથી એક થઈશું ત્યારે કંપની વગર શું કરીશું? વૃદ્ધાશ્રમમાં સરખેસરખી ઉંમરનાની કંપની મળે તેથી મન પ્રસન્ન રહે, સ્વસ્થ રહે, નિરોગી રહે.’
સ્મિતાબેને કહ્યું, ‘ના, આજે મેં નહીં પણ રમ્યાએ કપડાં બાફયાં છે.’
‘રમ્યાએ કપડાં બાફ્યાં પહેલાં ખિસાં તપાસ્યાં હતાં?’ જયેશભાઈએ સહેજ અધ્ધરજીવે પૂછયું.
‘રમ્યાએ મને કંઈ કહ્યું નથી કે આપ્યું નથી, પણ તમારા લેંઘાના ખિસામાં કંઈ મહત્ત્વનું હતું?’
‘હા, થોડાં સરનામાં હતા.’ ઉચાટભર્યા અવાજે જયેશભાઈ બોલ્યા.
‘સરનામાં? કોનાં સરનામાં?’ સ્મિતાબેને પૂછયું.
‘વૃદ્ધાશ્રમનાં સરનામાં હતાં.’ જયેશભાઈએ જવાબ આપ્યો. એમના અવાજમાં ચિંતા હતી. સસરાનો ચિંતાભર્યો અવાજ સાંભળીને પુત્રવધૂ રમ્યાએ જયેશભાઈને પૂછયું:
‘પપ્પાજી, વૃદ્ધાશ્રમના સરનામાં કેમ?’
‘કોઈવાર ખપ લાગે.’ જયેશભાઈ બોલ્યા.
‘પણ તમારે શું ખપ લાગે? તમારે વૃદ્ધાશ્રમનાં એડ્રેસની ક્યારેય જરૂર પડવાની?’ નવાઈ પામતા રમ્યાએ પૂછયું.
જયેશભાઈ બોલ્યા નહિ, સહેજ હસ્યા, પરંતુ રમ્યાએ સસરાજીના ટેબલ પર વૃદ્ધાવસ્થાને લગતું એક પુસ્તક જોયું હતું એ યાદ આવ્યું.
રમ્યાએ એના પતિ સમકિતને વૃદ્ધાવસ્થાના પુસ્તક વિશે કહ્યું અને ઉમેર્યું કે પપ્પાજીએ વૃદ્ધાશ્રમનાં સરનામાંનું લિસ્ટ કેમ બનાવ્યું છે? આપણી સાથે આટલો મનમેળ છે, છતાં તેમને આપણા માટે કોઈ ફરિયાદ છે? તો આપણને કહેતા કેમ નથી?
સમકિતે જયેશભાઈને પૂછયું, ‘પપ્પા આપણો સંબંધ એકદમ નિખાલસ અને ખુલ્લા હૃદયનો છે તો પછી વૃદ્ધાશ્રમના. સરનામાં તમે કેમ એકઠા કરો છો? અમારાથી કોઈ ભૂલ થતી હોય તો અમને કહો.’
જયેશભાઈ બોલ્યા, ‘બેટા અમને તારા તથા રમ્યા પર પૂરેપૂરો વિશ્ર્વાસ છે, પરંતુ આપણા સમાજમાં ચારેબાજુ જે વાતો સંભળાય છે તેથી કયારેક મન ઢીલું પડી જાય છે. અમને ડર લાગે છે કે કદાચ સ્વમાન માટે અથવા તો સલામતી માટે અમારેય આ ઘર છોડવું પડે, એવા વખતે વૃદ્ધાશ્રમની યાદી કદાચ ખપ લાગે. અમને નહીં તો કોઈ મિત્રને ખપ લાગે માટે તમારા મનમાં ખોટી ગેરસમજ ઊભી ન કરો.’
જયેશભાઈને સમકિતને પોતાના મનની વાત કરી પણ સમકિતના ચહેરા પરથી દેખાઈ આવતું હતું કે એના મનનું સમાધાન નથી થયું તેથી જયેશભાઈએ દીકરાને સમજાવવા પ્રેમાળ સૂરમાં કહ્યું, ‘બેટા, આજે અમે બે - હું અને તારી મમ્મી છીએ તેથી અમને એકબીજાની કંપની મળી રહે છે, પરંતુ જયારે અમે બેમાંથી એક થઈશું ત્યારે કંપની વગર શું કરીશું? વૃદ્ધાશ્રમમાં સરખેસરખી ઉંમરનાની કંપની મળે તેથી મન પ્રસન્ન રહે, સ્વસ્થ રહે, નિરોગી રહે.’
‘પપ્પા, એવી ખોટી ચિંતા શું કામ કરો છો? અમે તમને સાચવીશું ને!’ પપ્પા અમે કદી તમને એકલા નહિ પડવા દઈએ, તમને ઉદાસ નહિ થવા દઈએ માટે તમે ખોટી ખોટી શંકા-કુશંકા ન કરો.
પપ્પા તમને કદાચ મારી અને રમ્યા પર વિશ્ર્વાસ ન આવે પણ તમારી જાતમાં તો વિશ્ર્વાસ છેને! આજ સુધી તો તમે કહેતા હો છો કે ભલે ઉંમર વધે પણ હું ઘરડો નહિ થાઉં, અને મમ્મી તો આ ઉંમરેય નવાં નવાં ગીતો કેટલાં ઉમંગ અને ઉત્સાહથી શીખે છે અને ગાય છે. પપ્પા તમારા અને મારી મમ્મીના લીધે ઘરનું વાતાવરણ જીવંત લાગે છે.’
‘બેટા, તારી વાત તદ્દન સાચી છે પણ જ્યારે અમારામાંથી એકની બાદબાકી થઈ જાય અને એક જ રહેશે ત્યારે અમનેય એકલતા લાગશે અને હતાશાના લીધે અલ્ઝાઈમર થવાની શકયતા ઊભી થાય છે, એકલતાની તીવ્રતા બહુ ભયંકર અને ગંભીર હોય છે. બેટા ત્યારે જ્ઞાનતંતુના કોષ મરી જાય છે અને એ મરી ગયેલા કોષ ફરી જીવતા નથી થતા.
આવા બધા રોગથી બચવા, એકાકી વૃદ્ધ સરખી ઉંમરનાની સોબત માટે વૃદ્ધાશ્રમમાં જાય એમાં કશું ખોટું નથી.
બેટા, તું સમજવા પ્રયત્ન કર કે નાના બાળકનેય પોતાને ભેરુ મળે તો મઝા પડે છે, માણસ દરેક ઉંમરે પોતાના ભેરુને શોધે જ. માણસનો સ્વભાવ જ એવો છે એટલે તો મનોચિકિત્સક કહે છે કે એકલતા માણસને કોરી ખાય એ પહેલા એને કોઈની કંપની મળે તો એને કોઈ દવાની જરૂર જ નથી. આપણામાં એક કહેવત છે કે વનવગડામાં એકલું ઝાડ ન હશો બેટા, વૃક્ષમાં પણ જીવ છે એને સમૂહમાં રહેવું જ ગમે, તો આપણે તો માણસ છીએ. અને તું તથા તારી પત્ની અમારો ખ્યાલ રાખશો એની ખાતરી છે પણ અમને તમારી પર હેત છે, અમે તમારા પર બોજ બનવા નથી માંગતા.
અને એક વાતનો તું ખ્યાલ રાખ કે આપણી વચ્ચે જનરેશન ગેપ છે, એ ગેપ ભલે નડે નહિ પણ છે તો ખરો જ. આપણે સાથે બેસીએ છીએ ત્યારે એ ગેપનો ખ્યાલ રાખીએ જ છીએ. જો તમારામાં ઉત્સાહ હોય, જોમ હોય, જુસ્સો હોય, તમને ઝટ થાક ન લાગે તેથી તમને બહાર ફરવાનું ગમે. અમને પણ બહાર ગમે પણ આપણાં ઓટલા, આંગણાથી દૂર નથી જઈ શકતાં. ઉંમર વધે એમ ઘરના ઓટલે કે હીંચકે બેસીને વાતો કરવાની ગમે. વૃદ્ધાશ્રમમાં સરખેસરખી ઉંમરનાની સાથે જીવનના અનુભવો શેર કરવાની મઝા પડે, અમે લગભગ એકસરખા અનુભવોમાંથી પસાર થયા હોઈએ તેથી અન્યોન્યને સમજી શકીએ માટે વૃદ્ધાશ્રમ તો વૃદ્ધો માટે નિરાંતનો આશીર્વાદ છે.
No comments:
Post a Comment