- ઉમાશંકર જોશી
દેશ તો આઝાદ થાતો થઇ ગયો,તેં શું કર્યું ?
દેશ જો બરબાદ થાતાં રહી ગયોએ પુણ્ય આગળ આવીને કોનું રહ્યું ?દેશ તો આઝાદ થાતાં થઇ ગયો, તેં શું કર્યું ?
‘લાંચ-રુશવત, ઢીલ, સત્તાદોર, મામા-માસીના,કાળા બજારો, મોંધવારી : ના સીમા !’-રોષથી સૌ દોષ ગોખ્યા,ગાળથી બીજાને પોંખ્યા.આળ પોતાને શિરે ન આવે ન, જો ! તેં શું કર્યું ?
આપબળ ખર્ચ્યું પૂરણ ? જો, દેશના આ ભાગ્યમાં તેં શું ભર્યું ?સ્વાતંત્ર્યની કિંમત ચૂકવી હરપળે ;સ્વાતંત્ર્યના ગઢકાંકરા : કરવત ગળેગાફેલ, થા હુશિયાર ! તું દિનરાત નિજ સૌભાગ્યને શું નિંદશે ?શી સ્વર્ગદુલભ મૃત્તિકાનો પુણ્યમય તુજ પિંડ છે.
હર એક હિંદી હિંદ છે,હર એક હિંદી હિંદની છે જિંદગીહો હિંદ સુરભિત ફૂલ્લદલ અરવિંદ : એ સ્વાતંત્ર્ય દિનની બંદગી
No comments:
Post a Comment