SANKLAN

SANKLAN
SANKLAN

Tuesday, 9 September 2014

નજર એમને જોવા માગે તો આંખની શું ભૂલ!
દર વખત સુગંધ એમની આવે તો શ્વાસની શું ભૂલ!
સપના ક્યારેય પૂછીને નથી આવતા,
પણ સપના એમના આવે તો રાતની શું ભૂલ!…
*      *      *
પાસેપાસે તો યે કેટલાં જોજન દૂરનો આપણો વાસ;
જેમ કે ગગન સાવ અડોઅડ તો ય છેટાંનો ભાસ.
રાત-દિ નો સથવાર ને સામે,
મળવાનું તો કોઈ દાડો સુખ મળતું નથી;
આવકારનું વન આડબીડ,
બારણું ખોલી ફળિયામાં સળવળતું નથી;
આંસુને દઈ દીધો છે ભવનો કારાવાસ.
ઝાડથી ખરે પાંદડું,
એમાં કેટલાં કિરણ આથમ્યાનું સંભારણું હશે;
આપણી વચ્ચે આવજોની કોઈ ભીંત હશે,
કે યાદ જેવું કોઈ બારણું હશે;
પડખે સૂતાં હોય ને લાગે શમણાંનો સહવાસ….
– માધવ રામાનુજ

No comments:

Post a Comment